SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા ધ્યાન સાધના માટે ગુરુકુળ એક માત્ર સાધન છે. એટલા માટે પૂ.હરિભદ્રસૂરીએ એમ કહ્યું છે કે તપ, જપ, વ્રત, ધ્યાન આ બધાં સાધનો ઠીક છે, પણ મુખ્ય સાધન છે “ગુરુકુળવાસ” ભગવાન મહાવીરે કહ્યું, “હે શિષ્ય ગુરુજીંદાણુવત્તવૃં” તું એક જ કામ કર, તારો છંદ તું છોડ, તારા છંદ પ્રમાણે ચાલવાનું તું છોડ. એક વખત તું ગુરુના છંદ પ્રમાણે ચાલ. દુનિયામાં બે છંદ છે, (૧) સ્વનો છંદ (ર) ગુનો છંદ. સાધના એ છે કે પોતાનો છંદ છોડવો અને ગુરુનો છંદ પકડવો. છંદ એટલે ધૂન, ધ્વનિ, ચાલ, ગીતનો ધ્વનિ, છંદ એટલે વ્યસન, ટેવ, નાદ. એ સ્વનો ટાળવો ને છંદ ગુરુનો પકડવો એ જ સાધના પણ સહુથી વધારે કઠિન ને વધારે અઘરી. આ સિવાય બીજો રસ્તો સાધના માટે હોઈ શકે? બીજો રસ્તો હોઈ જ ન શકે, જેમ તરસનો ઉપાય શું? એક માત્ર પાણી, ભૂખનો ઉપાય શું? ખોરાક, અંધકારનો ઉપાય શું? એક માત્ર પ્રકાશ. માટે આ જ એક માત્ર સાધન. આમાં બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ ઉપાય નથી, રીત નથી, હોઈ શકે નહી તરસ છિપાવવા શું જોઈએ? આખું જગત આપો ને પાણી ન આપો તો નહીં જ ચાલે. માત્ર એ જ જોઈએ. તેમ ગુનો છંદ એક માત્ર ઉપાય પણ કઠિન કેમ છે? એમાં અહંકાર ઉપર ઘા થાય છે. આપણો આળામાં આળો ભાગ છે અહંકાર. એના ઉપર ઘા થાય એ કેમ ચાલે? અને અહંકાર એને કહેવાય, “પોતાથી શ્રેષ્ઠ શું હોય? ઉપયોગ પર્યાયમાં રોકાય છે. એ ઉપયોગ પર્યાય વટાવી દ્રવ્યમાં જવો જોઈએ. પર્યાયની હદ કૂદી દ્રવ્યમાં કૂદવું એનું નામ જ ધ્યાન. સાધક જો ધ્યાનમાં જાય ને તે પળે વૃત્તિ જો ઉપશમી ગઈ હોય તો પરમ સુખનો આસ્વાદ મળે અને એ જીવનમાં પહેલી વાર મળ્યો માટે આશ્વર્ય થાય અને એ મળે પછી દોડ શાંત થાય કારણ હવે શા માટે દોડવું? ભાઈ! વીતરાગ તત્ત્વ એ જ પરમ તત્ત્વ છે. અને એ વીતરાગતા જેમનામાં પ્રગટ થઈ છે, તે વીતરાગ પુરુષ જ પરમ ઉપાદેય, આદરણીય, પૂજનીય, ધ્યેય સેવ્ય છે. એ વીતરાગ પુરુષની અમી દૃષ્ટિ, એમાં જ જીવનનું સાર્થક્ય છે. એમની આજ્ઞાનું અખંડ પાલન એ જ પરમ શ્રેષ્ઠ ધર્મ છે, કર્તવ્ય છે. વીતરાગ પુરુષ કયાં મળે છે ! સૂક્ષ્મતમ રાગ-દ્વેષ પણ જેનામાં ન હોય, અને રાગ-દ્વેષનો અત્યંત અભાવ હોય, ૨ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy