SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન “સાધના” જ્ઞાયકતત્ત્વ ને શેયતત્ત્વમાં દર્શનમોહના યોગે થયેલી અભેદ બુધ્ધિ, એકતાબુધ્ધિ, બુધ્ધિની ગ્રંથિ તેને પરમ પ્રભાવી ભેદજ્ઞાનના તીણ શસ્ત્ર દ્વારા ભેદી, શેય તત્વથી ભિન્નતાને પામેલું એ જ્ઞાયકતત્ત્વ એને પરમ પ્રજ્ઞાના દિવ્ય પ્રકાશમાં જોઈ, તેની વર્તમાન મલિન અવસ્થા દૂર થાય ને તિરોભૂત અવસ્થા પ્રગટ થાય એ માટેનો સત્પુરુષની આજ્ઞાનુસાર પરમ પુરુષાર્થ એ જ સાધના છે. “સાધનાની મુખ્ય ચાવી શું?” વિશ્વમાં જે પરમ સત્તા છે, જે સમગ્ર વિશ્વની નિયામક પ્રેરક અને ઉધ્ધોધક છે, જે પરમ કૃપાનો અનંત કરુણાનો સાગર છે, સર્વ જીવોનો ચિંતક ને પ્રેરક પરમ પ્રભુ છે એના અસ્તિત્વમાં પોતાના અસ્તિત્વને સમાવી દેવું અને એ પરમ કૃપાળુના ઉપકરણ બનવું. અહંકારે ઊભા કરેલા અસ્તિત્વને ભૂંસી નાખી અરિહંતના વિરાટ સમુદ્રમાં સ્વજાતનું વિલીનીકરણ કરવું એટલે પોતે મટી જવું ને એના બની જવું. આ દિવ્ય સાધના છે. “પછી આપણે શું કરવાનું?” માત્ર સ્મરણ, એનું જ સતત સ્મરણ, એની જ સ્મૃતિ, એનો જ વિચાર, એનું જ ધ્યાન, એનું જ લક્ષ્ય. દરેક ઈન્દ્રિયો, મન અને બુધ્ધિમાં સ્મરણ દ્વારા એની જ પ્રતિષ્ઠા એને જ જપ કહે છે. એ માટે મનને ખાલી કરવું પડશે. બ્રહ્મચર્ય, સત્ય, તપ અને ધ્યાન આ ઉપકરણો મનને ખાલી કરે છે અને છેવટનું સાધન સદ્ગુરુ. - કોટુંબિક ક્ષેત્રે સહિષ્ણુતા, ઉદારતા ને કર્તવ્યનિષ્ઠા, સામાજિક ક્ષેત્રે સહાનુભૂતિ, સહકાર ને સેવા; ધાર્મિક ક્ષેત્રે સત્ય, સંતોષ, બ્રહ્મચર્ય ને ઈશ્વરનિષ્ઠા; આધ્યાત્મિક ક્ષેત્રે અનાસક્તિ, સમતા, વિરાગ ને મૈત્રી. આ ચાર અંગોનો સંતુલાત્મક વિકાસ એ જ સાધના. ૧ ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy