SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન ધ્યાનમાં જવાથી કર્મતંત્ર તૂટે છે, બદલાય છે, નવીન પરિવર્તનો આવે છે. ચિત્તથી પ્રેરાઈને જીવવું એ જ ભૂલ છે. ચૈતન્યના આધારે જીવવું એ જ ધર્મ છે. ચિત્ત અને ચૈતન્ય બંને જુદા છે, સ્વતંત્ર છે, અલગ છે. આજે આપણા જીવન ઉપર ચિત્તની સત્તા છે માટે વિક્ષેપ છે, વિષાદ છે. જીવનમાં ચૈતન્યની સત્તા જોઈએ. તા.૧૩-૫-૮૦, મંગળવાર જીવાત્માએ શુધ્ધ આત્મ સ્વરૂપનું સંવેદન નથી કર્યું. સ્વાનુભવ નથી કર્યો, ચેતન તત્ત્વનો સ્પર્શ નથી કર્યો એ કારણે એની દૃષ્ટિ નથી બદલાઈ, એ જ કારણે વૃત્તિ નથી પલટાઈ અને કૃતિ પણ નથી પલટાઈ. એક વખત પુરુષના સમીપમાં જઈ સર્વતોભાવથી એમને આધીન બની પોતાના પૂર્વગ્રહો, પોતાની માન્યતાઓ, પોતાના આગ્રહો છોડી સરળતાપૂર્વક પરમ પ્રેમથી પરમાર્થ વાર્તા, શુદ્ધાત્મ સ્વરૂપની વાર્તા સાંભળે, એમાં લીન બને પ્રત્યેક શબ્દના મર્મને પકડે ત્યારે જ આત્મા જેવો છે તેવો સમજાય, સમજાય તો એના અનુભવની પ્રક્રિયાનો અભ્યાસ થાય તો જ અનુભવ થાય. તા.૧૬-૪-૮૧ લાંબા સમયથી સત્સંગ થઈ શક્યો નહિ પણ જીવનમાં આ અત્યંત જરૂરી છે. સમ્યફ પ્રકારે જ્ઞાની પુરુષના આશ્રય વિના યથાર્થ તત્ત્વ નિર્ણય થઈ શકતો નથી. એ વગર સમ્યફ રીતે ધર્મ સાધના થઈ શકતી નથી. સંસારમાં જીવાત્માએ વિવિધ પ્રકારથી ધર્મ સાધના તો કરી છે, પણ એ સમ્યફ અને યથાર્થ થઈ નથી. એ કારણે અલ્પ પુણ્ય બંધાયું પણ સંવર નિર્જરા થઈ ન શક્યાં. તત્ત્વ, ચેતન તત્ત્વ નિરાવરણ ન થયું. અંશ પ્રગટ ન થયો અને સ્વાનુભવના બળ વિના સમાધાન પ્રાપ્ત ન થયું. આ ૧૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy