SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન જ કામ એક વખત કરવું પડશે. સંસારની રચના તો અનેકવાર કરી પણ એ અનિત્ય અને નશ્વર છે, એ કાયમ ટકી ન શકે અને એ છોડીને ફેર બીજી રચના કરવી પડે છે. આ રીતે અનંતકાળ ગયો. હવે જાગવું જરૂરી છે. તા. ૨-૧૧-૮૧ જીવ ભાવમળના કારણે મલિન બને છે. જીવતત્ત્વ અને ચેતન દ્રવ્ય સ્વભાવે સંપૂર્ણ, પરિપૂર્ણ, શુદ્ધ, બુદ્ધ, આનંદમય છે પણ ભાવમળના કારણે એ મલિન થયો છે. ઈર્ષ્યા, અહંકાર, કામવાસના, દ્વેષ, લોભ, આસક્તિ - આ છ દોષો બળવાન છે. જીવાત્મા આ દોષોથી ઘેરાયેલો છે અને એ જે કંઈ કરે છે, જે ક્રિયા કરે છે તે આ છ દોષોથી પ્રેરાઈને કરે છે. કયારેક એ ધર્મ અનુષ્ઠાન પણ કરે છે, પણ એ ઉપરથી, અંદર તો આ દોષો બળવાન હોય છે. જેમ વાસણ ગંદુ હોય, એંઠું હોય, બગાડવાળું હોય, એમાં દૂધપાક ભરવામાં આવે કે મિષ્ટાન્ન ભરવામાં આવે તો એ દૂધપાક બગડી જાય છે, વિકૃત થાય છે, તે પ્રમાણે આ છ દોષોથી જીવ ગંદો થયેલો છે, બગડેલો છે, દોષિત થયેલો છે. એના કારણે એ જે સત્કર્મો કરે છે, ધર્મ અનુષ્ઠાન કરે છે તે ઊગી નીકળતા નથી. દૂષિત બને છે. અનંતકાળમાં અનંત જન્મોમાં અનંતવાર જીવાત્માએ આ સદ્ અનુષ્ઠાનો કર્યા પણ એને એ સ્પર્ધો નહિ, નહિ સ્પર્યા એમાં એની પોતાની ભૂલ છે. એને શાસ્ત્રો ભાવમળ કહે છે. આ ભાવમળની અલ્પતા કર્યા સિવાય ધર્મ પરિણામકારક બની શકતો નથી. આંતર ચેતનાનું ઉદ્દઘાટન થતું નથી. ચરમાવર્તકાળમાં જીવનો પ્રવેશ થઈ શકતો નથી. ચરમાવર્તકાળ એ જ ધર્મ પરિણમનનો કાળ છે. કારણ અહીં જીવની ભાવમળની ક્ષીણતા થાય છે. અને ત્યારે જીવમાં ત્રણ ગુણો પ્રગટ થાય છે. (૧) દુઃખી પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન પ્રત્યે અદ્વેષ (૩) સર્વત્ર ઔચિત્ય પાલન. આ ત્રણ અસાધારણ ગુણો છે. ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy