SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન અને એ ધ્યાન વગર નહિ થાય. ધ્યાન જ એનું એક માત્ર સાધન છે. ધ્યાનમાં જવું એ જ પ્રચંડ પુરુષાર્થ છે. આ સમજશો. તા. ૧-૧૧-૧૯૭૯ જૈન આગમોમાં – શાસ્ત્રોમાં વીતરાગ પરમાત્માનું બિંબ - પ્રતિમા સમ્યગ્દર્શનની શુદ્ધિનું કારણ છે અને સમ્યગુ બોધની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્ત છે. એવું વારંવાર વર્ણન આવે છે. જેને પુણ્યયોગે ધનની પ્રાપ્તિ થઈ છે તે સાચી સમજણપૂર્વક વીતરાગ તત્વનું સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત કરી, વીતરાગ દેવને યથાર્થ સ્વરૂપમાં જાણી એમના પ્રત્યેની પરમ ભક્તિથી, નિષ્કામ ભાવે, બદલાની આશા વગર, નમ્રતાથી જિનબિંબ રચે છે. જિન ચૈત્ય રચે છે તે સમ્યગુ બોધને પ્રાપ્ત કરે છે. એવો શાસ્ત્ર સિદ્ધાંત છે. પણ આ બધું જડતાપૂર્વક ગતાનુગતિકપણે અને ફળની આશાથી કરે તો અલ્પ લાભ પામે. તા.૧૫-૧૨-૭૯, સોમવાર તમારા માર્ગમાં કયારેક કયારેક થોડા અંતરાયો આવે છે, અવરોધ કરનારા પરિબળો ભાગ ભજવે છે. હવે એ પરિબળો શાંત થશે. ખૂબ જ ધીરજ અને માનસિક સ્વસ્થતા રાખી સતત પ્રયત્ન કરશો. ભવિષ્ય માટેની પહેલેથી જ કલ્પના કરી ન લેવી. કલ્પના એ મનનો વિકલ્પ છે. જગતમાં માત્ર વિકલ્પો જ કામમાં નથી આવતા. પૂર્વના સંસ્કારને પણ દૂર કરવા પડે છે. જેને જ્ઞાનીઓ કર્મનો મહા નિયમ કહે છે. આ કર્મ રચના કરનાર જે કર્તા છે એણે એનો ભૂતકાળ દૂર કરવો પડે છે. માટે જ જીવનમાં જે પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થાય છે એનો વિના વિરોધે સંપૂર્ણ સ્વીકાર કરવામાં માનસિક સંઘર્ષ આવતો નથી. ૧ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy