SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન ધર્મ કરવો એટલે આપણા જીવનમાં આ અવસ્થા પ્રાપ્ત કરવી. આપણા સંબંધોના પાયામાં પ્રેમ નથી. આપણે પરસ્પર પ્રેમના તાંતણે બંધાતા નથી. ત્યારે આપણા સંબંધોના પાયામાં શું છે? આપણા સંબંધોના પાયામાં કાં તો કામવાસના છે, કાં તો રાગ છે, સ્નેહ છે, કાં તો સ્વાર્થ છે, કાં તો મોહ છે. માટે આપણા પરસ્પરના સંબંધો શુદ્ધ નથી, એ જીવનનો પ્રશ્ન છે. સંબંધનું માધ્યમ પ્રેમ બને એ જ ધર્મનું પહેલું સૂત્ર છે. “” એ મુખ્ય બને તો પ્રેમની ધારા તૂટે. અહં જો બળવાન બને તો પ્રેમની ધારા ખંડિત થવાની. જીવનમાં પ્રેમની ધારા નહિ હોય તો જીવનમાં ક્રોધ દ્વેષ ઈર્ષ્યા સિવાય બીજું શું રહેશે? ત્યારે દરેક પ્રશ્નના મૂળમાં આ ક્રોધ, દ્વેષ, ઈષ્ય ભાગ ભજવે છે એનું કારણ પ્રેમની ધારા તૂટી છે. એનું કારણ “હું” અહંકાર છે ધર્મ કરવો એટલે શું કરવું? એનો આપણને ઓછામાં ઓછો ખ્યાલ છે. પ્રશ્નને સમજીએ : આરાધના, સાધના કરવાનો હેતુ રાગ દ્વેષનો ક્ષય થાય તે છે. ધર્મની કોઈ પણ ક્રિયા વ્રત, અનુષ્ઠાન અથવા સાધન એ એટલા માટે કે એના દ્વારા રાગ દ્વેષનો ક્ષય થાય. આ મૂળભૂત વાત જો સ્વીકારીએ તો પ્રશ્નને ઉકેલવાની રીત બદલાઈ જાય. ઈ. સ. ૧૯૭૯ જીવન અણમોલ છે, મહામૂલું છે એની પ્રત્યેક ક્ષણ મોંઘી છે અને આત્મઅનુભવ, સ્વરૂપ અનુભવના દિવ્ય કાર્ય માટે જ છે. આત્માએ પોતાનો અનુભવ નથી કર્યો, સ્વમાં નથી ઠર્યો, સ્વનું દર્શન નથી કર્યું. સંસારની તમામ પ્રવૃત્તિઓ કરી અને બાહ્ય ધર્મ સાધના પણ કરી. બાહ્ય વ્યવહાર કર્યો, નથી કરી સ્વરૂપની અનુભૂતિ ૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy