SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન સંતોનો અનુભવ જો આપણે ઉપયોગમાં લઈએ તો તેઓ એમ કહે છે : “આ ચૈતન્યતત્ત્વનું સંપૂર્ણ પ્રગટીકરણ”, “ચૈતન્ય તત્ત્વની સ્વતંત્રતા - મુક્તિ” કે “ચૈતન્યતત્ત્વનાં અસલી સ્વરૂપને પુનઃ પ્રાપ્ત કરવું” એ જ જીવન માટે મંગળ ધ્યેય આ ધ્યેયને વરી, પસંદ કરી એને જીવનયાત્રાનો પ્રારંભ કરવાનો છે, એનું જ નામ “સાધના”. ને આવી સાધનાની મધુરી વણા જેના જીવનમાં સંવાદિત રીતે ગુંજી રહી છે, એનું જ નામ સાધક, આવું સુરીલું સંગીત જીવનમાં પ્રગટ કરી દે તે જ સદ્ગુરુ. આવું સુરીલું સંગીત જીવનમાં પ્રગટાવી, એનું સળંગ સર્વાગીણ સંપૂર્ણ શાસ્ત્ર બંધારણ, યોજના વિશ્વમાં જેણે પ્રગટ કરી, વિશ્વ સામે રજૂ કરી, ખુલ્લી કરી તે જ છે તે જ છે “કરુણામૂર્તિ અરિહંત તીર્થકર”. એના એ બંધારણને યોજનાને સર્વાગીકરણ શાસ્ત્રને જ વીતરાગનું શાસન કહે છે. એ બંધારણના મૂળભૂત ત્રણ સિદ્ધાંતો છે. (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યગ જ્ઞાન (૩) સમ્યફ ચારિત્ર. પ્રિય સાધક બંધુ! શાંતિની સરિતાના કિનારે સ્વસ્થ અને ગંભીર ચિત્તે આ વિચારણા કરવી જોઈએ. શરૂઆતમાં થાક લાગશે, કંટાળો આવશે પણ વારંવાર વિચાર કરવાથી જ એક દિવસ અંતરનું પડળ ખસશે ને અંતસ્તલમાંથી પ્રકાશનું કિરણ રેલાશે. તમે ખૂબ જ સરળ છો, નમ્ર છો, સૌજન્યશીલ છો, નિરાગ્રહી છો ને સત્યના શોધક છો. પ્રથમ કક્ષાના સાધક પાસે આટલી મૂડી ઓછી ન કહેવાય. તમે ઘણી વખત કહેલું “હું એમને એમ તો નહિ જ માનું ને દબાણ તો મને સહન થતું નથી. મારા પર વિચાર લાદવામાં આવે તો મારું મન વિરોધ કરે છે” ખરું ને? અને એમ પણ કહેલું, “તે મારા હૃદયમાં જચી જાય, હૃદય સ્વીકાર કરે તો અમલ કર્યા વગર નહિ જ રહું?” મને તમારી આ વાત સહુથી વધારે ગમી માટે જ તમને કહું છું ચિંતક બનો, વિચારક બનો, શોધક બનો અને એવા બની શકો એ માટે જ તમને જાપની યોજના આપેલી. - ૧૦૭. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy