SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતીક પણ આ વિચાર જો હોય તો વેદના વચ્ચે પણ થોડી ક્ષણો શાન્તિ અનુભવાય. પણ એ વિચારના બળે. એમાં વિચારની તાકાત છે. એ વિચાર સપુરુષ પાસે સત્ શાસ્ત્રો દ્વારા સમજાયો હોય અને એમાં શ્રદ્ધા હોય તો, ધીરજ કેળવી શકે, ધીરજ રહી શકે, અને વિચારની તાકાત અને શ્રદ્ધાની તાકાત જે હોય તે કક્ષાની ધીરજ રહી શકે, પણ આ હજુ બહારનું છે. વૈચારિક છે. એટલે વિચાર બળ મંદ પડતાં, શ્રદ્ધા બળ મંદ પડતાં એ અનુભવ મંદ પડે ને વિચાર બળ તૂટતાં એ સમજ, ધીરજ, શાંતિ ખરી પડે એટલે ખોવાઈ જાય. પણ ભાવની ઘટનામાં આવું ન બને, એ વાત જુદી છે, ભાવમાં વિચાર નથી એટલે ભાવની અવસ્થામાં ભાવની જતાકાત છે. વિચારના બળ ઉપર કે શ્રદ્ધાના બળ ઉપર ભાવ જીવતો નથી એટલે ભાવને ટકાવવા માટે કોઈ બાહ્ય પરિબળ જરૂરી નથી. સત્ શાસ્ત્ર કે સદ્ગના બળની પણ જરૂર નથી. એટલે ભાવની અવસ્થામાં ભાવની જ તાકાત છે. વિચારના બળ ઉપર કે શ્રદ્ધા ઉપર ભાવ જીવતો નથી એટલે ભાવને ટકાવવા માટે કોઈ બાહ્ય પરિબળની જરૂર નથી. સત્ શાસ્ત્ર કે સંગુરુના બળની પણ જરૂર નથી. ભાવ પોતાની આંતરિક તાકાત છે. એને પોતાને પોતાનું બળ છે. કારણ? ભાવ આંતરિક જીવનમાં બનેલી ઘટના છે. વિચાર અને ધ્યાનની પ્રક્રિયા કરતાં કરતાં એટલે સાધના કરતાં કરતાં જયારે ચેતનાનો અંશ, પોતાનો સ્વભાવગત અંશ જયારે ખીલે છે. અર્થાત્ એ અંશ ખીલતાં દર્શન મોહનું કવચ-પડલ-આવરણ તૂટે છે ત્યારે અંદરચેતનાની થતી ઉપલબ્ધિ તે ભાવ, એ ભાવ એને દ્રા બનાવે છે એટલે એ સાક્ષી બની શકે. દેહમાં જે કાંઈ થાય છે એને જાણે છે પણ આ મારામાં થતું નથી, જોનારમાં થતું નથી એમ અનુભવે છે. એ કારણે તે વખતે વિચાર કે શ્રદ્ધાની કોઈ પ્રક્રિયા નથી, બહારનું કોઈ બળ નથી. કોઈ પ્રયત્ન નથી, જેમ બીજી વ્યકિતને કંઈ થાય છે તે તમે જુઓ છો, બસ જુઓ છો. અને તમે તમારી મોજમાં છો એવી ઘટના ભાવમાં ઘટે, કારણ કે ત્યાં અનુભૂતિ છે, જેમ પતિવ્રતા સ્ત્રી ને કુશળ નિષ્ણાત નર્સ બન્ને દર્દી પાસે ઊભા છે, બન્નેની ક્રિયા પ્રતિક્રિયા બિલકુલ જુદી છે, નર્સ કરે છે પણ ભાવ અનુભૂતિ સ્ત્રી કરે છે, નર્સ નહીં. માટે ભાવમાં પ્રયત્ન નથી, વિચિત્રતા એ કે ભાવ હોય તે વખતે પણ વેદનાના અનુભવથી રાડ પાડી બેસે, રડતો દેખાય, અવાજ કરતો દેખાય એ સહન નથી કરી શકતો એ એક કમજોરી છે. કારણ ચેતનાના અંશો ખૂલ્યા છે ખરા પણ જે અંશો ખૂલ્યા છે તે એટલું કામ કરે ૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy