SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક પળે થાય છે તે પળે વિચાર રહિત અવસ્થા થાય છે. વિચાર રહિત અવસ્થાની પળે જ એમાં ટોચના સુખની અનુભૂતિ થાય છે. આમાંથી એક તત્ત્વ મળે છે કે ખરેખર સુખ વિચાર રહિત અવસ્થામાં અનુભવાય છે. આત્માનુભવ એટલે શું? અનુભવનો અર્થ થાય છે અનુભવ કરનાર પોતે સંપૂર્ણ પ્રગટ થાય એટલે દ્રષ્ટા દશ્ય બની જાય. જયારે દ્રષ્ટા દશ્યને માત્ર જાણે છે એમ નહીં પણ દ્રષ્ટાને અનુભવે છે. એટલે દ્રષ્ટાના અનુભવમાં અવરોધક પરિબળ ખસી જાય છે. એટલે દ્રષ્ટા નિરાવરણ થાય છે. નિરાવરણ એટલે આવરણ રહિત, આવરણ દ્રષ્ટા ઉપર નથી. દ્રષ્ટા તો નિરાવરણ છે પણ વચમાં જે પ્રતિબંધક, અવરોધક પરિબળ છે એ દૂર થાય છે એટલે દ્રષ્ટાની અનુભૂતિમાં કોઈ બાધા નથી રહેતી, ત્યારે સાચો અનુભવ થાય છે અને જયારે અનુભવ થાય ત્યારે સમગ્ર અખંડ થાય છે, એને કોઈ પ્રમાણની જરૂર નથી. પણ જયારે એ અનુભવને વ્યક્ત કરવા જાય ત્યારે ભાષાનો આશ્રય કરે છે. વાણીમાં ક્રમ છે, અનુભવ અક્રમ છે. અક્રમનો અનુભવ ક્રમમાં જયારે કહેશે ત્યારે અનુભવ સમગ્ર કેવી રીતે વાણીમાં આવે? માટે અનુભવી જે અનુભવે છે તેને કહી શકતો નથી એમ નથી. નથી કહેતા ત્યાં સુધી પૂર્ણ અનુભવ છે પણ જયારે કહેવા જાય છે ત્યારે ક્રમ પડવાનો, એટલે વાણીમાં અનુભવ ન ઊતરે, છતાં ન જ કહી શકાય એમ નથી પણ બીજી મુશ્કેલી એ છે કે જેની પાસે અનુભવની વાત કરે છે એ કયાં ઊભો છે? ૧ ૧૫ (૧) ભાવના અસંખ્ય પ્રકાર છે, પ્રત્યેક ભાવની ગુણવત્તામાં તારતમ્ય છે એટલે ભાવ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ કોટિનો પણ હોય. (૨) ભાવ અને વિચારમાં અંતર છે. ભાવમાં કર્મક્ષયની ઘટના છે સાથે અનુભૂતિનો સંબંધ છે. વિચારમાં ઘટના નથી કારણ ત્યાં, કર્મક્ષયની ઘટના નથી માટે અનુભૂતિ નથી, પણ વિચારની પ્રક્રિયા પણ એક જાતની સાધના જરૂર છે. (૩) અને એ સાધનામાં સમજ અને શ્રદ્ધા ભાગ ભજવે છે. દેહ જુદો છે એ ભોગનું સાધન છે. દુઃખનો ભોગ થઈ રહ્યો છે એમાં નિમિત કર્મ છે. અને આત્મા ભોગવનાર નથી પણ જાણનાર છે. જાણનાર દેહથી જુદો છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy