SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક કોઈ ધ્યાન પણ નહીં ને સીધું વૃત્તિનું અવલોકન. એ અવસ્થામાં જ સાચું દર્શન થશે. ત્યાં સુધી સાચું દર્શન નહીં થાય. એટલે બીજો કોઈ ધ્વનિ નહીં, વૃત્તિને જ બોલવા દો, એટલે કે પ્રગટ થવા દો ત્યારે ખરી પકડ આવશે. વૃત્તિ જયાંથી ઊઠે છે તે કેન્દ્ર અને વૃત્તિ જેમાં શમે છે તે ધ્યાન. એનું મૂળ અસલ કેન્દ્ર ચેતન છે. ચેતનમાં દષ્ટિ ઠરે તો વૃત્તિ શમે. આ મૂળ પ્રક્રિયા છે. ચેતનને જોવો છે, કેન્દ્રપકડવું છે પણ ચેતન દેખાતો નથી પણ વૃત્તિ દેખાય છે. એ વૃત્તિને જોતા જાઓ તો જે કેન્દ્ર ઉપરથી વૃત્તિ ઊઠે એ કેન્દ્ર પકડાશે. એ કેન્દ્રવૃત્તિનો આધાર છે. વૃત્તિ અને આધાર બને જુદા પડે ને દષ્ટિ આધાર તરફ જાય તો વૃત્તિ વિદાય લે. કારણ વૃત્તિનો આધાર, એ આધાર છે. એ આધાર તરફ દૃષ્ટિગઈ એટલે દ્રષ્ટા - જોનાર આધારને જોશે, ને આધારને જોશે એટલે વૃત્તિ ઉપરથી દષ્ટિ ખસશે. તે જ પળે વૃત્તિ ઊભી નહીં રહે, એ ધ્યાન. અર્થાત્ વૃત્તિને સાધન બનાવ્યું કેન્દ્રની શોધનું. માટે વૃત્તિ સામે લડવાનું નથી, વૃત્તિને દબાવવાની નથી, વૃત્તિ પાછળ જવાનું નથી. વૃત્તિ જુઓ, જોતા જાવ, જોતા જાવ એટલે છેવટે કેન્દ્ર ઉપર જશો. એ કેન્દ્રને પકડો તે પળે વૃત્તિ ઊભી નહીં રહે. વૃત્તિને ઉશ્કેરનાર નિમિત્તો વારંવાર મળવાથી વૃત્તિ જો ઉશ્કેરાયે નહીં તો મોળી (નબળી) પડશે, ખરી પડશે. સાચી અવસ્થા એવી છે કે એ રચના જોયા પછી પણ રચનાર જ દેખાય. રચના પુદ્ગલની થઈ, પણ એ રચના પણ ચેતનની હાજરીમાં જ થઈ ને! એટલે પુગલની રચના જોતાં જોતાં છલાંગ મારીને ચેતનને જોવાનું થાય અને એ ચેતન હું જ એ અનુભવ થાય. એટલે પુદ્ગલ સામે ઉઘાડી આંખે જોતાં જોતાં પુદ્ગલની હદ કૂદી જવાય, અને ચેતનમાં જવાય. એટલે પુદ્ગલની અભૂત રચના જોતાં જોતાં જીવ કૂદીને દેહની પાછળ જાય છે ત્યારે ચેતન દેખાય છે. ચેતનને જોવાની આ પણ એક રીત છે. '૧ ૧ ૧) વિષય, કષાયના કચરાને જ શા માટે જુઓ છો? એ કચરાની નીચે પરમ શુદ્ધ નિર્મળ ચેતન તત્ત્વ પણ છે. તમે જોનાર કચરાને જ જુઓ છો પણ સાથે જોનાર જોનારને પણ જુએ તો બીજું જ દેખાય. - કાદવને જોનાર બે જણા, એક માત્ર કાદવને જ જુએ છે અને બીજો એ વખતે જ એમાં નિર્મળ જળને પણ જુએ છે. બીજો જે નિર્મળ જળને જોનાર હશે તે માટીને દૂર કરી પાણીને જોશે અને પછી માટી કાઢવી. પાણી તો છે જ. ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy