SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ - - (૭૮) ભાગવતતો સદેશ મનમાં વૃત્તિઓનું પૂર મોટું છે મનનો નિરોધ કરવાથી આત્મજ્ઞાન થાય છે. પણ મન પ્રમાદી હોવાથી ઝટ વશમાં આવતું નથી. મનમાં વારંવાર વૃત્તિ અને વાસના ઊડ્યા જ કરે છે તેથી અંદર પ્રત્યક્ષ આત્મા હોવા છતાં દેખાતો નથી, અનુભવતો નથી. નદીમાં પૂર આવે તો અનેક ગામોનો નાશ કરી નાખે છે, વૃક્ષોનું નિકંદન કરી નાખે છે. પણ નદીના પૂર કરતાં પણ મનની વૃત્તિઓનું પૂર મોટું છે. જેમ કે ક્રોધનું પૂર આવે તો બોલવાનું ભાન નથી રહેતું. કામનું પૂર આવે તો સારા નરસાનું ભાન નથી રહેતું. એવું જ અહંકાર, લોભ, કદાગ્રહનાવેગનું છે. આ પૂર-વેગને રોકવાનું કામ કેવળ ધ્યાન કરી શકે છે. મોક્ષ અને બંધનનું કારણ છે મન આમ મોક્ષ અને બંધનનું કારણ મન છે. વિષયોમાં આસક્તમનબંધનનું કારણ, પરમાત્મામાં અનુરક્ત મન મોક્ષનું કારણ. આત્માનો-બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો છે પણ મન વિષયોમાં છે માટે પહેલાં મનને વિષયોની બહાર લાવવું પડે. જેટલા પ્રમાણમાં મન વિષયોની બહાર હોય તેટલા પ્રમાણમાં ધ્યાન, યોગ, મોક્ષ પ્રાપ્ત થાય. વિષયોથી મુક્ત નહિ થનાર મન બંધનનું કારણ કહે છે. ખૂબી એ છે કે મનને તેનું કારણ પૂછો તો એ કહેશે કે તમે મને જ્યાં મોકલો છો ત્યાં હું જાઉં છું. પ્રશ્ન એ છે કે કોણ તેને મોકલે છે? અને બંધન તોડી મોક્ષ પ્રાપ્ત કરવા શું કરવાનું? અનુરાગી તરે અને તારે રાગ એટલે આસક્તિ. વિષયો તરફ ખેંચાણ છે માટે તે મૂકી પરમાત્મા તરફ મનને વાળો, ભગવાનને પ્રેમ કરો એ અનુરાગ છે. એમ કરવાથી મન વિષયો તરફ જશે નહિ. અને મોક્ષ તરફ વળશે. જેમ રેલ્વેનો સાંધાવાળો એક હેન્ડલફેરવીને ટ્રેઇનને બીજા પાટા તરફ વાળે છે તેમ અજ્ઞાનના-વિષયોના પાટા ઉપરથી મનને જ્ઞાનના એટલે કે પરમાત્માના પાટા ઉપર ફેરવો. એ છે ભગવદ્ પ્રેમ. એ કરતાં જેને આવડે તે મોક્ષ મેળવે. તેતરે અનેતારે. આવો છે ‘અનુરાગ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy