SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ માર્મિક, આધ્યાત્મિક વિકાસ મનથી જ થઈ શકે. મન ન હોય તો આ ન થાય, ધ્યાન અને યોગ પણ ન થાય. મન આવું મહત્ત્વનું ઉપકરણ છે. વેદાન્ત કહે છે કે મન અંતઃકરણ છે એ અંદરનું છે. અને ઇન્દ્રિયો બહિષ્કરણ છે, એ બહારની છે. ઇન્દ્રિયો અને મન વચ્ચે તાલમેલ હોય તોજ કોઈ પણ કામ થઈ શકે છે. આત્મા અને દેહને જોડનાર બળ મન છે સાધના ઇન્દ્રિય પ્રધાન હોય કે શરીર પ્રધાન પણ જો તેને મનનો સહારો ન હોય તો સાધના થઇ શકતી નથી. પણ માત્ર મનની સત્તાથી કામ થતું હોય, જ એમાં આત્મા ભળતો ન હોય તો સાધના અજ્ઞાન દશામાં જ થાય છે. માણસે અનંત જન્મોમાં અનેક સાધનાઓ કરી છે, પરંતુ તેનું પરિણામ શૂન્યજ આવ્યું છે કારણકે મનની આત્મા ઉપર સત્તા થઈ ગઈ છે. આમ તો આત્મા અને દેહને જોડી આપનાર બળ મન છે. મન આત્માનીવાત દેહને અને દેહની વાત આત્માને કરે છે. જો મન અજ્ઞાન વશ થઈ આત્માને મીસ ગાઈડ-ખોટી દોરવણી-કરે તો મોટો ગોટાળો થઈ જાય. જેમકે સંસાર જ સુખનું મૂળ છે તેવું ઠસાવે તો સાધનાના કામમાં એ ન આવે. પણ મન સહકાર આપે તો આત્મિક સાધના થઈ શકે. ધ્યાનથી જ આત્માની સત્તા આવે જગતની તમામ પ્રકારની સાધનાઓ મનથી થાય છે. વિશ્વામિત્રે ૬૦ હજાર વર્ષ તપ ક્યું પણ મેનકા આવી પછી તપ નિષ્ફળ ગયું. જો તે વખતે મન જાગૃત હોત અને આત્માને સહકાર આપ્યો હોત તો એમ ન થાત. પહેલાં લોકો કાશીએ જઈ કરવત મુકાવી પ્રાણ ત્યાગ કરતા આમ કરવાથી મોક્ષ મળશે તેવી માન્યતા હતી. પણ એમ કરવાથી મોક્ષ નથી મળતો. નદીમાં સ્નાન કરવાથી પણ મોક્ષ નથી મળતો. એ રીતે મોક્ષ મળતો હોત તો માછલાં અને જળચર પ્રાણીઓ મોક્ષ પામ્યાં હોત. મન અને આત્માનો તાલમેલ મળે તો જ મોક્ષ મળે અને જન્મ-મરણ ટળે. આત્માની સત્તા આવે તો જ આ થાય. એ સ્થિતિ ધ્યાનથી જ મળી શકે છે. - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy