SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) સત્સંગ કરો અનુભવને વાણીમાં વર્ણવી શકાતો નથી કપિલજી અને માતા દેવહુતિના સંવાદમાં કપિલજી કહે છે કે ઃ “હું જે તમને કહું છું એ સાવ શુદ્ધ છે. એ શાસ્ત્રાધારથી નહિ પણ અનુભવ-ગમ્ય વાતો છે. જે ઇન્દ્રિયોના અનુભવ બહારની છે. તે અગમ અને અગોચર છે. મેં એ ત્રીજી આંખથી જોયું છે, અનુભવ્યું છે છતાં હું શબ્દોમાં પૂરે પૂરું કહી શકતો નથી. એ શબ્દની ન્યૂનતા છે છતાં એના સિવાય બીજો કોઇ શ્રેષ્ઠ રસ્તો નથી. બંધન આસક્તિનું છે ‘વિવેકી માણસો પદાર્થ કે વ્યક્તિને બંધન નથી માનતા. બંધન તો આસક્તિનું છે. એને દૂર કર્યા સિવાય વ્યક્તિ કે પદાર્થ છોડવા છતાં કશું મળરો નહિ.” માણસ જાણતો હોય છે કે સંસાર બંધનનું કારણ છે છતાં તે પરણીને નવો સંસાર ઊભો કરે છે. છોકરીને ખબર છે કે પરણીને સાસરે જ જવાનું છે છતાં એ સાસરે જતાં રડે છે. ત્યારે જમાઇ નથી રડતો. પણ સગાં કહે છે કે એ પછી રડશે. આમ બંધન અંદર છે તેથી જ બહાર બંધન ઊભું થાય છે. માણસ પહેલાં ધન ભેગું કરે છે પછી તેનું રક્ષણ કેવી રીતે કરવું તેની ચિંતા કરે છે. આવી માણસને ટેવ પડી છે, જેમ નાનકડા વાછરડાને ખીલે બંધાવું ગમતું નથી. ચાર-પાંચ માણસો મથીને તેને ખીલે બાંધે છે. પણ એ જ વાછરડો મોટો થાય, બળદ થાય ત્યારે ખીલે બંધાવાથી એવો ટેવાઇ જાય છે કે એની મેળે જ ખીલા આગળ આવી જાય છે. સંગ એટલે પરિચય કરવો વિવેકી માણસો કહે છે કે સંગ એટલે પરિચય કરવો, સાથે જીવવું. તેથી કોની સાથે જીવવું-બેસવું તે સૂક્ષ્મ વિચાર કરીને જ નક્કી કરવા જેવું છે. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy