SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૦૫) મન રાજી થયા. જેનામાં આત્મજ્ઞાન પામવાની રોમે રોમમાં ઇચ્છા પ્રગટી છે. તેવું પાત્ર મળે ત્યારે જ્ઞાની પુરુષ રાજી થાય છે. વળી આતો માતા છે. જગતમાં કપિલજીને એમણે જ પ્રગટ કર્યા છે તે ઉપકારને વાળવાનો અવસર કપિલજીને મળ્યો છે અધ્યાત્મ કપિલજી કહે છે: “અધ્યાત્મ મનુષ્યનું કલ્યાણ કરે છે. અધ્યાત્મ દ્વારા જ આત્માનો સ્વાનુભવ થાય છે. તે માટેની પ્રક્રિયાને અધ્યાત્મ કહેવાય છે. આત્મામાં રુચિ થવી, પછી તેનો અનુભવ કરવા ધ્યાનમાં જવું, તેમાં કરવું અને તેનો અનુભવ કરવો એ પ્રક્યિાને અધ્યાત્મ કહેવાય છે. સુખ-દુઃખમાંથી મુક્ત થવાનું આવા અધ્યાત્મ-યોગની સાધના કરવાથી આત્મા સુખ અને દુઃખમાંથી મુક્ત થાય છે. દુઃખમાંથી મુક્તિ મેળવવાની વાત બરાબર પણ સુખમાંથી ય મુક્ત જ થવાનું છે, કારણ કે સુખ અને દુઃખ બન્ને જોડિયા ભાઇઓ છે. એ સતત જોડાએલા જ રહે છે. તેને કોઇ છૂટા પાડી શકતું નથી. આને કંઠ કહેવાય છે. સાધના દ્વારા આ કંઠ દૂર કરવાથી મોક્ષ (મુક્તિ) રૂપી પરમાનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાન પીરસવાનો આનંદ હે મા આત્માને સુખ-દુઃખમાંથી મુક્ત કરવો પડશે અને ભાગવતને જીવનમાં જીવવું પડશે. હે માતાજી ! નારદ જેવા ઋષિઓને પણ સતત સાંભળવાની ઈચ્છા થઈ ત્યારે આ આધ્યાત્મિક વર્ણન મેં તેમને કહ્યું હતું. એ જ્ઞાનમેં આજે તમને પીરસ્યું છે. જેમ તમને ભૂખ્યામાણસને ભોજન પીરસવાનો આનંદ આવે છે તેમ હે મા ! મને પણ જેનામાં જિજ્ઞાસા જાગી ઊઠી છે તેમને જ્ઞાન પીરસવાનો આનંદ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy