SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) - - ભાગવતતો સદેશ ઇંદ્રિયો પર કાબૂ મેળવો પાંચ ઇંદ્રિયો ઉપર વિવેકપૂર્વકનો તમારો કાબૂ હોવો જોઇએ. જો બ્રેક વગરની સાયકલ ઉપર તમે પ્રવાસ કરો તો અકસ્માત કરી બેસો. કારણ એ તમારા કાબૂમાં ન રહે. લગામ વિનાનો ઘોડો વશ ન રહે. અંકુશ વગરનો હાથી મોટી તોડફોડ કરી બેસે, તેમ ઇંદ્રિય કાબૂ વગરનો માણસ મોટું નુકસાન કરી બેસે. તમે તમારા મનમાં જેટલુંનાખશો તેટલું આડું આવશે. માટે આંખ, નાક, કાન, જીભ, સ્પર્શથી તમે અંદર નાખવું બંધ કરો તો ઇંદ્રિયો ઉપર કાબૂ આવશે. સ્થિર આસન, શ્વાસ, આસક્તિ છોડવી, ઇંદ્રિયો ઉપર કાબૂ મેળવવો એ ભગવાનના સાકાર સ્વરૂપમાં મનને જોડવા માટેનું ઉત્તમ સાધન છે. / સપુરુષના યોગ પછી જે શ્રવણ થાય તે જાગૃત થઇને સાંભળવું. વચ્ચે મત, માન્યતા, - ન આવવા જોઇએ. શ્રવણમાં બુદ્ધિની બહુ જરૂર છે. જ્ઞાની પુરુષો કહે છે કે અતીન્દ્રિય સૃષ્ટિમાં જવાનું છે તેથી માત્ર હાઇલી આઇ ક્યુ લેવલ જ નહિ પણ તત્ત્વનું વિવેચન કરી શકે તેવી સૂક્ષ્મબુદ્ધિ જોઇશે, કારણ શ્રવણ પછી ચિંતન, મનન, વિશ્લેષણ, પરિશીલન, મંથન તો જ કરી શકાય. ચિંતન કરતા જાવ ને આત્માથી શરીરને જુદા પાડતા જાવ. શરીરને આમ એક નથી પણ બુદ્ધિમાં એકતા થઇ છે. બન્ને છે પણ બન્ને જુદા છે. એ બન્નેને જુદા ન માનો, આત્માને ન માનો, બન્નેનું તાદાત્મ છે માનો. એમ માનવાથી એકમેક થતા નથી. બન્ને જુદા છે તેમ નથી માનતા તે વખતે પણ બન્ને જુદા છે. પણ જુદા નથી માનતા તે અભિગમ તે અધર્મ છે. બન્ને જુદા છે તેવું માનો છો, સમજો છો તે વખતે જે અભિગમ છે તે ધર્મ છે. પ્રવાસમાં મારી બેગ તમારી પાસે આવી ગઇ, તમે તમારી છે એમ માનીને સાચવો છો. પણ મેં કહ્યું. આ બેગ મારી છે અને તમે બેગ તરત મને આપી દો છો એ વ્યવહાર ધર્મ છે. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy