SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (10) (૧૦) નિરપેક્ષ મન સાચું સુખ પામે) સંત અને ભગવાનના હૃદયમાં ભક્ત જ હોય છે માનવજાતના કલ્યાણ માટે અવતારોએ, તીર્થકરોએ, પરમાત્મા પ્રાપ્ત થયા છે તેવા સંતોએ ઘણું કહ્યું છે. એમણે એમના પ્રિય શિષ્યો- સખાઓને પોતાના હૃદયમાં રાખ્યા. ભગવાન મહાવીરની નિટ રાજા, રાણી, શેઠીયાઓ ન હતા પણ ભક્ત સુલસા હતી. ભગવાન કૃષ્ણના હૃદયમાં ઉદ્ધવજી હતા. માત્ર પાંચ વર્ષની વયે ઉદ્ધવજી (ઓધવજી)એ ભગવાન સાથે જીવન જીવવાની શરૂઆત કરી. તેની સુખ સ્મૃતિ ઉદ્ધવજીના મનમાં હતી. પણ પરમધામમાં સાથે લઈ જવા ના કહી તેનું દુઃખ પણ તેમના હૃદયમાં હતું. ભક્ત ભગવાનને યાદ કરે તે કરતાં પણ ભગવાન ભકતને યાદ કરે તે અવસ્થા ભક્ત માટે ઘણી ઊંચી છે. આ છે ભગવાનના હૃદયમાં હોવું તે. આવા ભક્તના હૃદયમાં બે ધારાઓ સાથે ચાલે છે એક ભગવાને તેમને યાદ ર્યા છે અને બીજી ભગવાનના વિરહની. નમ્રતાથી પ્રશ્નો પુછાય વિદુરજી, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી શુદ્ધ થયેલા પરમભક્ત હતાં. ભગવાન શ્રીકૃષ્ણ દેહ છોડ્યો ત્યારે આ ધરતી ઉપર પોતાનું કોઇ ન રહ્યું તેવી વ્યથા લઈને તેઓ ગંગા નદીના કાંઠે હરિદ્વાર ક્ષેત્રમાં મૈત્રેયીજીના આશ્રમમાં આવ્યા. તેમને જોઈ મૈત્રેયી ઊભા થયાં. વિદુરજી તેમના ચરણમાં પ્રણામ કરે છે, પછી હાથ જોડે છે અને પૂછે છેઃ ‘આપને કેટલાક પ્રશ્નો પૂછવાની ઇચ્છા વર્ષોથી આ હૃદયમાં પડી છે, જો આપ આજ્ઞા આપો તો પ્રશ્નો પૂછું.” ગુરુ મહારાજ પાસે આવી શિષ્ય નમ્રતાથી વંદન કરવાની આજ્ઞા માગે, એ નમ્રતા છે, વિવેક છે, પ્રેમની અભિવ્યક્તિ છે. દીલ ખોલીને વાત સંત પાસે કરી શકાય છે. તે મોટો લ્હાવો પણ છે. મૈત્રેયીજીએ રજા આપી, આસન આપ્યું. વિદુરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy