SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) ભાગવતતો સંદેશ કરશે જ. એ સંસ્કારો ગમે તેટલા મજબૂત હોય તો પણ તમે મજબૂત ધારણા કરી શકશો. વારંવારના આવા પ્રયત્નો પછી એ થઇ શકશે. પોતાના ચિત્તને શુભ કેન્દ્રમાં સ્થિર કરવું તેને ધારણા કહેવાય છે. ધ્યાનમાં લેવાની ચાર બાબતો તમે ચાર બાબતો ધ્યાનમાં લેશો. (૧) સ્થિર આસન (૨) સમ શ્વાસોછવાસ (૩) આસક્તિ છોડવી (૪) પાંચે ઇંદ્રિયો ઉપર કાબૂ રાખવો. ધ્યાનમાં જતાં જ શરીરે ખંજવાળ આવશે, ખાલી ચડશે. માટે આસનમાં સ્થિરતા જોઇએ. ધ્યાનમાં ડૂબાશે એટલી સ્થિરતા આવશે. હાલતા ઘડામાં પાણી સ્થિર નથી રહેતું તેમ હાલતું શરીર મનને ધ્યાનમાં જવા નથી દેતું. ઓછામાં ઓછું ૪૮ મિનિટ શરીરને સ્થિર રાખવું. શ્વાસ સમ બનાવો શ્વાસોચ્છવાસ ‘સમ’ એટલે સ્થિર હોવો જોઇએ. ભય લાગ્યો હોય તો હાંફ ચડે છે, ગુસ્સો આવે તો મોં ઉધાડું રહી જાય છે, કામ જાગે છે ત્યારે હાંફળા થવાય છે. આના પરિણામે શ્વાસ અસમતોલ થઇ જાય છે, તેથી આસન અસ્થિર થાય છે. તેવું મન ધ્યાનમાં જાય નહિ. આંખ નાકના ટેરવા પર સ્થિર કરવી. આમ આસન અને શ્વાસ એક જ કેન્દ્ર ઉપર ત્યારે હોય. વ્યક્તિ અને પદાર્થો છોડો વિચારો, વિકારો આસક્તિના કારણે આવે છે. પદાર્થો આધા- પાછા નથી કરવાના, પણ મનને એક કેન્દ્રમાં સ્થિર કરવાનું છે. એ કેન્દ્ર છે પ્રભુનું એમાં સ્થિર થતાં આસક્તિ જશે. એ જશે એટલે વિચારો જશે અને ધ્યાનમાં ડૂબારો. આસક્તિ હશે તો વિકલ્પો આવ્યા જ કરશે. ઘડામાં રહેલી વસ્તુ લેવા હાથ તેમાં નાખ્યો, વસ્તુ મુઠ્ઠીમાં પકડી, હાથ બહાર કાઢવા પ્રયાસ કર્યો પણ વળેલી મુકી સાંકડા મોંના ઘડામાંથી બહાર નથી નીકળતી. મુઠ્ઠી છોડો, વસ્તુ છોડો તો હાથ ઘડામાંથી બહાર નીકળે. એ જ રીતે વ્યક્તિ અને પદાર્થો તમને પડતા નથી તમે તેમને પકડયા છે. માટે તમે તેને છોડો. આ છે આસક્તિ છોડવાનો ઉપાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy