SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ સાગોડિયાનો ઉદ્દભવ થયો. પાટણ-ડીસા રોડ ઉપર પાટણથી સાત કિલોમીટર દૂર સાગોડિયા ગામ આવેલું છે. ત્યાંની ગ્રામ પંચાયતે આશ્રમની પ્રવૃત્તિ માટે ૬૮ એકર જમીન આપી. આ જમીન ક્ષારયુક્ત, સૂકી, વૃક્ષ વિનાની હતી. પરમાત્મકૃપાથી, આશ્રમના કાર્યકરો અને શુભેચ્છકોના સહકારથી, દૂધ સાગર ડેરી અને ગુજરાત યુનિવર્સિટીના પ્રયોગોના કારણે તથા ઘણા ભાઈ-બહેનોની આર્થિક સહાયને લીધે લગભગ આ બધી જમીન ફળદ્રુપ બની છે, તેમાંથી ક્ષાર દૂર થયો છે અને જમીન અત્યારે નંદનવન સમી બની છે. સર્વમંગલમ્ આશ્રમ, ગૌશાળા જે આજે અદ્યતન સ્વરૂપે નવીન બની છે તે તથા બુનિયાદી શાળા અને છાત્રાલય ચલાવે છે. મહારાજશ્રી માને છે કે વિદ્યાર્થી ફક્ત ડીગ્રી મેળવે તે પૂરતું નથી. પરંતુ શિક્ષણની સાથે સાથે તેને એવા સંસ્કાર મળવા જોઇએ કે જેનાથી તે સાચો માનવ બને. આ ધ્યેય પૂર્ણ કરવા માટે અહીં જે પ્રવૃત્તિઓ આરંભી તે ખરેખર કર્મયોગની ધારા બની ગઈ. અહીં સાધના કુટીરો બાંધવામાં આવી. મહારાજશ્રીની સાધના માટે વીતરાગ આરાધના કેન્દ્ર-ધ્યાન મંદિર-બનાવ્યું. ૧૬ રૂમોનું “વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર” તૈયાર કર્યું. આ કેન્દ્રમાં રહેનાર ભાઈ-બહેનોને પૂ. ગુરુજીના સાંનિધ્યનો અને સ્વાધ્યાયનો લાભ મળવા માંડ્યો. આ કેન્દ્રમાં ઉપરમાળ બનાવી ધ્યાન સાધકો માટે ૮ રૂમોનું સંકુલ બનાવ્યું. અહીં વર્ષમાં છ વાર સઘન ધ્યાન સાધના શિબિરનું આયોજન પણ થાય છે, તેનો લાભ અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો લઈ રહ્યા છે. એ જ રીતે ઉજજૈન, ઈન્દોર, શાજાપુર અને ભોપાલમાં પણ ધ્યાન શિબિરનું આયોજન થાય છે. અહીં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રતૈિયાર ક્યું છે. ત્યાં દરરોજ સ્વાધ્યાય થાય છે. અને દર રવિવારે સવારે ૭-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી ધ્યાન શિબિર થાય છે, તેનો લાભ અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો નિયમિત લઈ રહ્યા છે. તેમ જ અહીં વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર જીવનદર્શન મ્યુઝીયમ તથા ઓડીટરીયમ પણ બન્યું છે. આ ઉપરાંત સર્વમંગલમ્ આશ્રમ, સાગોડિયા દ્વારા અનેક ગામોમાં દુષ્કાળ રાહતનાં, પૂર રાહતનાં અને વરસાદ તથા પૂરમાં પડી ગયેલાં હજારો મકાનો રાહતથી બાંધી આપવાના કામો મહારાજશ્રીના માર્ગદર્શન નીચે થયાં હતાં. આ રીતે સાગોડિયા આશ્રમમાં અવિરતપણે કર્મયોગ ચાલી રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy