SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) - પરીક્ષિતના પ્રશ્નો ભારતીય શાસ્ત્રોની અભિવ્યક્તિ ત્રણ રીતે ભાગવતે મૂળ સિદ્ધાંતોની વાત કથા સ્વરૂપે કહી છે. ભારતીય શાસ્ત્રોની રીત એવી રહી છે કે તત્ત્વનો પરામર્શ કથામાંથી થઈ શકે. તાત્ત્વિક જીવન કેવી રીતે જીવવું તેનો આધાર કથા બતાવે છે. કેટલાક મહાપુરુષોએ ભાગવતમાંથી માત્ર તત્ત્વની જ વાતો કરી છે, તો કેટલાકે માત્ર કથા જ કહી છે. પણ ત્રીજા પ્રકારના મહાપુરુષોએ કથા અને તત્ત્વને વણીને, સાથે રાખીને જગતને કહ્યું છે. માણસ પોતાના જીવન માટે જે વ્યવસ્થા કરે છે, તેમાં અહમ્, અજ્ઞાન, માન્યતા, લાલસા, ઇચ્છા વગેરે ભળતાં હોય છે. આ વ્યવસ્થાને માણસ જાણી શકે છે, પણ એ જાણીનશકે છતાં તેના જીવનમાં અનુભવી શકે એવી વ્યવસ્થા પણ હોય છે. જેમકે રાજાએ અહને વશ થઈ ઋષિના ગળામાં સાપ વીંટાળ્યો, તે જોઇ ઋષિ પુત્રે રાજાને શાપ આપ્યો. અહીં રાજા અને ઋષિપુત્ર બંને વિકારવશ છે તેથી આવેશમાં આવી ગયા. પણ ઋષિ વિકારવશ નથી માટે શાંત છે. રાજાનું આધ્યાત્મિક પરિવર્તન માણસમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે. જો માણસ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા દાખવે તો શ્રેષ્ઠ પરિણામ લઈ શકે છે. ઋષિના ગળામાં સાપ વીટાળવો એ અયોગ્ય નિર્ણય હતો, આવેશમય નિર્ણય હતો. પણ એમ ક્ય પછી રાજાને પોતાના એ કાર્યનો પસ્તાવો થયો તેથી તેમનું ચિત્ત સાંસારિક પદાર્થો, વ્યક્તિઓ અને ભોગોમાંથી ઊઠવા લાગ્યું માટે બધું છોડીને વિરકત બનવાનો એમણે નિર્ણય કર્યો, તે શ્રેષ્ઠ હતો. પરિણામે એ સંત ચરણે જવાને પાત્ર બની શક્યા. વિશાળ ભૌતિક સામ્રાજ્ય છોડી, અતિ વિશાળ આધ્યાત્મિક ક્ષેત્ર પ્રાપ્ત કરવા તરફ વળી શકયા. મહત્ત્વની વાત તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy