SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતો સદેશ (૩૯) -- - --- કરેલા કૃત્યનું પ્રાયશ્ચિત કરીશ અને આવું દુષ્ટ કાર્ય ક્યારે પણ નહિ કરું? અભુત બનાવ પછી રાજાને ખબર પડી કે ઋષિ પુત્રે તેમને તક્ષક નાગ કરડે તેવો શાપ આપ્યો છે. રાજાએ વિચાર્યું. મને તક્ષક કરડે કે મૃત્યુ કરડે એ સારું છે. કારણ અત્યાર સુધી હું સંસારમાં જ આસક્ત રહ્યો છું. હવે વિરકત થવા મને આ શ્રેષ્ઠ નિમિત્તે મળ્યું છે. માટે મારે સંસારના સુખો ત્યાગવા છે. હું અનશન વ્રત લઈ ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળની સુગંધ ધારણ કરી તેના ધ્યાનમાં લીન થાઉં પછી તેઓ અનન્ય ભાવથી શ્રીકૃષ્ણ શરણં મમ” જપવા લાગ્યા. પછી સમગ્ર રાજ્ય પુત્રને સોંપી ગંગા કિનારે ભક્તિ કરવા ગયા. ત્યાં એક અદ્ભુત ઘટના એ ઘટી કે કશા પણ આયોજન વિના ચારે બાજુથી ઋષિ-મુનિઓ આવવા લાગ્યા. આ પ્રભુકૃપા જોઈ રાજા આનંદ વિભોર થઈ ગયા. ત્રષિઓના ચરણે પડી આશીર્વાદ માંગ્યા કે : “મને પરમાત્મામાં અનુરાગ થાય તેવું કરો.” ત્યાં જ દેવો આવ્યા. એમણે કહ્યું : “રાજા તમારો દેહ છૂટવાનો છે માટે તમારા કલ્યાણ માટે અમે ભગવસ્મરણ કરીશું અને એટલામાં જ વ્યાસ પુત્રદિગંબર શુકદેવજી ત્યાં પધાર્યા.. હું કોણ છું? સ્વરૂપ સ્મૃતિમંત્ર - પરમ ગુરુઃ સર્વના ગુરુ પરમગુરુ પરમાત્મા છે, જે રાગ, દ્વેષ, મોહથી મુક્ત છે. : પૂજ્ય જેઓ સ્વયં મોહ મુકત બન્યાને સાથે જગતના જીવોને ? જેવા પરમગુરુ પરમાત્મા છે તેવો જ મારો આત્મા છે. આ ભાવપૂર્વક સ્વરૂપની સ્મૃતિ એ કર્તવ્ય છે. મુનિ શ્રી ભાનુવિજયજી અહં સોડહં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy