SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૨૦) પરમાત્મા અને બીજો પરમાત્મા પ્રત્યેના પરમ પ્રેમનો સ્વીકાર થાય છે. હવે કહો આ જેનામાં હોય તે બૂરું કરવાનો વિચાર તો કરે જ નહિ ને. એ સત્કર્મનો જ, પરોપકારનો જ વિચાર કરે અને એવાં કાર્ય કરે. અને જે કર્મ કરાય તે પરમાત્માને જ અર્પણ કરવાનું. માટે એ કાર્ય શ્રેષ્ઠ થાય અને પૂરી શક્તિથી થાય છતાં કર્મની માલિકી જાય. કરનારની સહેજ પણ માલિકી ન રહે. પરમાત્મ ઈચ્છાનુસાર જીવો પોતાની ઇચ્છાથી, પોતાના માટે, પોતાને ગમે તે માટે નહિ જીવવાનું પણ ભગવાનની આજ્ઞાનુસાર, ભગવાન માટે, ભગવાનને ગમે તેવી રીતે ભગવાનના પ્રતિનિધિ તરીકે જ જીવવાનું. જેમ પત્ની પતિને રાજી રાખવા ઘણાં કામ કરે છે, તેમ ભગવદ્ભક્ત ભગવાનને રાજી રાખવા જ પ્રત્યેક કાર્ય કરે. જો એમ જ કરવું હોય તો પછી તેનાથી કટુ વચન, ખોટું કે અસત્ય વચન ન બોલાય. મીઠું અને સત્ય વચન જ બોલાય. ભગવાન માટે જ જીવાય એટલે એ જે જુએ તેમાં ભગવાનને જ જુએ. સતત તેમનું કીર્તન-ભજન કરે, ગુણાનુવાદ કરે, સ્મરણ કરે છે વ્યાસજી, મેં આવું અવિરતપણે કર્યું. ભગવાન નારાયણનેકૃષ્ણને-ખાતર જ જીવ્યો અને તેમની જ આજ્ઞાનું પાલન કર્યું, તેથી ભગવાને મારા ઉપર કૃપા કરીને મને પોતાના હાથે ભક્તિ આપી. પછી આત્માને ઓળખાવ્યો અને આત્મજ્ઞાન આપ્યું. ભગવાન મોક્ષ સહેલાઇથી આપે તેવો ઉદાર છે, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. ભક્તને બરાબર તાવી લીધા પછી જ ભક્તિ આપે છે. મને ભક્તિ મળી એટલે હું ભિખારી મટી ગયો. બહુ મોટું ધન મેં પ્રાપ્ત કર્યું. મારી તમામ પ્રકારની જિજ્ઞાસા શાંત થઈ ગઈ. હે વ્યાસજી, તમારું જ્ઞાન વિપુલ છે. તેનો ઉપયોગ કરીને તમે ભગવાનની જુદીજુદી લીલાઓનું વર્ણન લખો. જે વાંચીને ભક્તની જિજ્ઞાસા શાંત થાય.” વ્યાસજીના પ્રશ્નો વ્યાસજી કહે છે : હે નારદજી, મને અહીં કેટલાક પ્રશ્નો ઉઠ્યા છે તેનો જવાબ આપો. (૧) તમને જ્ઞાન આપનારા મહાત્માઓ ગયા પછી તમે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy