SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (3) જીવનનો સમગ્ર પણે સ્વીકાર કરો જીવનને પૂર્ણપણે સ્વીકારો અનેક પુરાણો અને શાસ્ત્રો જેમણે રચ્યાં છે તેવા વ્યાસજીને વિષાદ થયો છે. તેમનો વિષાદ દૂર કરવાનારદજી આવ્યા છે. નારદજી વ્યાસજીને કહે છે: “ જીવન પરમાત્માની કૃપા હોય ત્યારે જ મળે છે. તેમાં જે આવે તે નિરર્થક નથી હોતું, ભલે તે મુશ્કેલ હોય. માટે જીવનનો સમગ્રપણે સ્વીકાર કરો.’ જેમના જીવનમાં દુઃખોના પહાડ તૂટી પડ્યા છતાં જેઓ હસતાં હસતાં આવ્યા છે તેવા પાંડવોના તેર વર્ષના વનવાસ તથા શ્રી રામચંદ્રજીના ચૌદ વર્ષના વનવાસને યાદ કરો. જીવનમાં સામે આવતા બનાવોનો ગમો કે અણગમો ન કરવો. તેમાં આવતા મૃત્યુનો ભય કે મૂંઝવણ નહીં. પણ બસસંપૂર્ણપણે હકારાત્મક વલણ રાખવું. જો આમ થશે તો જીવન પ્રેમમય અને જીવવા જેવું લાગશે. અહીં પ્રેમ એટલે કામવાસના નહિ પણ નિરપેક્ષ પ્રેમ, નિહેતુક પ્રેમ જેનું કેન્દ્ર આત્મા છે. કામનું કેન્દ્ર છે શરીર. અનિવાર્ય કામ નહીં, પણ પ્રેમ છે. પ્રેમ હોય ત્યાં અણગમો કે અભાવ આવતાં નથી. ઇશાવાસ્ય ઉપનિષદના ઋષિએ કહ્યું છે કે: આત્મજ્ઞાન થયું છે તેવો માણસ, ઇશ્વર દર્શન થયું છે તેવો માણસ કોઇ પ્રત્યે ધૃણા કરતો નથી.’ રમણ મહર્ષિ કહે છે : “આત્મદર્શન થતાં જ અંદરથી પ્રેમ પ્રગટે છે. અથવા તો અંદરથી પ્રેમ પ્રગટે છે તે આત્મદર્શનનું લક્ષણ છે.” પરમાત્માને કર્મ અર્પણ કરો જે આત્મજ્ઞાન પામે તેના જન્મ-મરણનું ચક્કર બંધ થાય છે. એ કરવાનો ઉપાય એ છે કે જે કર્મ કરો તેનું બંધન નહિ થવું જોઇએ. એમ કરવાની રીત એક જ છે. તે છે ‘જીવનનું પ્રત્યેક કર્મભગવાન શ્રીકૃષ્ણના ચરણમાં અર્પણ કરવું. પરમાત્માના ચરણમાં અર્પણ કરવું. આમ કરવાથી બે બાબતો- એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy