SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) ભાગવતતો સદેશ સાકાર પરમાત્મામાં મન જોડો મરણનો ભય ત્યજીને મન શુદ્ધ કરો. શુદ્ધ થયેલા મનને તમે પરમાત્મામાં એવું તો લીન કરો કે સંસાર તરફ પાછું ન આવે. જેમ આકાશમાંથી વરસાદનું પાણી પડતું આપણને દેખાય છે. પણ એ સમુદ્રમાં પડતાં જ એવું તો વિલીન થઈ જાય છે કે એ દેખાતું જ નથી, માત્ર સમુદ્ર જ દેખાય છે. એ જ રીતે તમે પરમાત્મામાં ડૂબી જાવ.” મનમાં સંગ્રહ, મમત્વ અને આસક્તિ આવીને અવરોધ કરે છે. રજો ગુણ-તમોગુણ જાગીને મનને વિક્ષુબ્ધ કરે છે. માટે શૈર્ય ધારણ કરીને અંદરની શક્તિનો ઉપયોગ કરીને, પરમાત્માની ધારણા કરીને તેમનામાં સ્થિર બનવું. આ રીતે પરમાત્માના સાકાર સ્વરૂપમાં મનને જોડવાનું છે. - અનામી અરૂપી ચૈતન્યદેવને ઓળખવા અનેક નામો જગમાં પ્રસિધ્ધ છે, તેમાં હું સર્વદર્શનને માન્ય સોહામણું નામ છે. “સચ્ચિદાનંદ’ છે. સચ્ચિદાનંદસ્વરૂપની પ્રાપ્તિ 'NI]"" માટે, અનુભૂતિ માટે સંતોનો યોગ થવો જરૂરી છે. સૂરિપુરંદર ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા હરિભદ્રસૂરિ મહારાજયોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવે છે કે ફળની પ્રાપ્તિ માટે બીજ અનિવાર્ય છે તેમજ પરમાત્માની પ્રાપ્તિ માટે યોગ બીજો અનિવાર્ય છે. યોગીઓના નાથ પરમાત્મા તથા ભાવયોગી ગુરુદેવો પ્રત્યે પ્રીતિવાળું ચિત્ત, છચનથી નમસ્કાર તથા કાયાથી પ્રણામ એ યોગના ઉત્તમ બીજો છે, રાગદ્વેષરૂપ માળ જેમનો ઘસ્યો હોય તેવા જીવોને ચરમાવર્તકાળમાં આ બીજોની પ્રાપ્તિ થાય છે. દુઃખી પ્રત્યે અત્યંત દયા, વિઘાદિગુણયુક્ત ગુણીપુરુષો પ્રત્યે અદ્વેષ-અમત્સરને સર્વત્ર ઔચિત્યનું પાલન કરનાર ભદ્રમૂર્તિ મહાત્માઓને સદ્યોગાદિની પ્રાપ્તિ થાય છે. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy