SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) ભાગવતતો સદેશ - - અંતયાત્રાનું મુખ્ય સાધન છે “ધર્મ માણસ આજે ધર્મના નામે જે કાંઈ કરે છે તે સારું છે છતાં એ છે તો કર્મકાંડ જ. માણસ મંદિરમાં જાય, સેવા-પૂજા કરે એ કર્મકાંડ જ છે. ધર્મ તો ચેતનાની એક આંતરિક અવસ્થા છે. પણ એની સાચી ખબર તો ત્યારે જ પડે જ્યારે આત્મજ્ઞાની સદ્ગુરુ પ્રાપ્ત થાય અને સત્ શાસ્ત્રો તેના માધ્યમ બને. આમ થાય ત્યારે જ ખ્યાલ આવે કે આ ધર્મ નથી અને પદાર્થમાં કાયમી સુખ નથી, કેમકે સુખનું કેન્દ્ર તો અંદર છે. એ કેન્દ્ર મારે શોધવું છે. પ્રાપ્ત કરવું છે અને કાયમી સુખ માણવું છે. એ શાનાથી મળશે? એવી જીજ્ઞાસા સાધકને થાય છે ત્યારે સરુ કહે છે, એ સધર્મથી જડશે. આપણને અહીં આશ્ચર્ય થાય છે કે કેટલાક માણસો બૂમો પાડે છે કે ધર્મ કી યે હો, અધર્મકા નાશ હો.’ પણ ધર્મ અને અધર્મ કોને કહેવાયતેની એમને ખબર નથી હોતી. ધર્મ એ અંતરયાત્રાનું મુખ્ય સાધન છે. જુદી જુદી ભૂમિકાએથી ધર્મ માણસમાં કામ કરે છે. વિચારચિંતન પ્રધાન માણસને અંતર્યાત્રા કરવા સદ્ગુરુ “જ્ઞાન”નો માર્ગ આપે છે કર્મ પ્રધાન જીવને સેવાનું સાધન આપે છે અને ભાવ પ્રધાન, પ્રેમ પ્રધાન વ્યક્તિને ભક્તિનો માર્ગ આપે છે. આ તમામ યાત્રાઓ તો અંદરનું કેન્દ્રશોધવા જ કરવાની છે. આને કબીરજી ખોજ કહે છે. અને “ખોજ પીંડ તો બ્રહ્માંડકા પતા લગ જાય એમ કહે છે. આ ખોજ માટે જ આધ્યાત્મિક શાસ્ત્રો, ઉપનિષદો, વેદો, આગમો અને ત્રિપીટકો રચાયાં. એ સાધનોઉપયોગમાં લેતાં પહેલાં. તેની પ્રાથમિકતૈયારી કરવાની છે તેની જાણ આપણા ભારતીય ઋષિ-મુનિઓએ રચેલાં રામાયણ, મહાભારત અને ભાગવતમાં આપણને મળી શકશે. રામાયણ અને તેના પાત્રો તેમાં પણ રામાયણ ગ્રંથ માટે તો મારી દઢ માન્યતા છે કે લગ્ન કરનાર છોકરી અને છોકરો લગ્ન કરતાં પહેલાં આખું રામાયણ રસપૂર્વક વાંચી જાય તોં એને ખબર પડે કે જીવન કેવી રીતે જીવાય? જરા વિચારો કે પરણ્યાને ચાર મહિના પણ થયા નથી ત્યાં સીતાજીને વનમાં જવું પડે છે. લગ્ન પછી એ આજના રીવાજ પ્રમાણે હનીમુન ઉજવવા ગયા નહોતા. કોઈ જાતનો ઝઘડો નહોતો થયો, છતાં કોઈ વાંધો વચકો પાડયા વિના હસતે મુખે પતિ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy