SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ પરિવર્તનનો પ્રારંભ વસ્તુ એટલે પદાર્થ. જૈન પરંપરા તેને પુદ્ગલ દ્રવ્ય કહે છે. જગતમાં જે કાંઈ આંખથી દેખાય છે, જીભથી સ્વાદ લેવાય છે, કાનથી સંભળાય છે, નાકથી સુંધાય છે, શરીરથી સ્પર્શ કરી શકાય છે તે પદાર્થ છે, પુગલ છે. તેને રંગ છે, રૂપ છે, કદ છે, વજન છે. તેની રચના થાય છે અને વિખેરાય છે. સાંખ્ય દર્શન પુલને ‘પ્રકૃતિ’ કહે છે, વેદાંત તેને “માયા કહે છે, અંગ્રેજીમાં તેને મેટર’ કહેવાય છે. માણસ આમાં સુખ શોધે છે. સુખ મેળવવાનું દબાણ માણસને પોતાની અંદરથી આવે છે. પણ સુખ ક્યાકેન્દ્રમાંથી મળે છે તે વિષે માણસ કશું જાણતો નથી. એટલે તો એ કેન્દ્ર પોતાની અંદર હોવા છતાં તે બહાર શોધે છે, પદાર્થમાં શોધે છે. આ ભ્રમણા છે. તેને વેદાંત ભ્રાંતિ કહે છે. એ ભ્રાંતિ દૂર ન થાય ત્યાં (કાયમી) સુખ મેળવવાની અંતરયાત્રાનો પ્રારંભ થઈ શકતો નથી. જ્યારે તેને પુરુષ મળશે, તેમની સાથે યોગ થશે, ઓળખાણ અને ભક્તિ થશે, વિનમ્રતા આવશે ત્યારે તેમના ચરણે બેસીને એમની અનુભૂતિની વાતો ધ્યાનપૂર્વક સાંભળશે તે પછી તેને પ્રતીતિ થશે કે સુખનું કેન્દ્ર તેની માન્યતા પ્રમાણે પદાર્થ કે વ્યક્તિ જે બહાર છે તે નથી પણ પોતાની ભીતર રહેલો આત્મા છે. માટે આત્માના કેન્દ્ર ઉપર જવું જોઇએ તેવો નિર્ણય તે કરે છે. એ માણસનું પરિવર્તન બિંદુ છે, ત્યાંથી એનામાં સાચો ફેરફાર થવાની શરૂઆત થાય છે. સગુરુની જરૂર જ્ઞાની પુરુષો પાસે ભૌતિક પદાર્થો જરૂર પૂરતાં જ હોય છે કે નથી હોતાં, છતાં તેઓ સામાન્ય સુખાનુભવ નહિ પણ પરમ સુખાનુભવ કરે છે. સામાન્ય માણસને આની નવાઈ લાગે તેવું છે. તે માને છે કે વધુ પદાર્થો પાસે હોય તો વધુ સુખ મળે. એટલે જ આજે લગ્નોના જમણવારમાં બે ચાર વાનગી નહિ પણ અનેક વાનગી હોય છે. કોઈ-કોઈ અમીરને ત્યાંના લગ્નમાં સો-દોઢ સો વાનગી હોવી તે નવાઈ જેવું નથી. સુખની આ ભ્રમણા ભાંગે તેવું પરિવર્તન બિંદુ આવ્યા પછી માણસને એક અનુભવી સદ્ગુરુની, સત્ શાસ્ત્રની અને સધર્મની જરૂર જણાય છે. આ તત્ત્વો સાથે પહેલાં તેને લેવા-દેવા નહોતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy