SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ત્રણ ગ્રંથોનું શિક્ષણ ત્રણ અદ્ભુત ગ્રંથો હિંદુસ્તાનની ધરતી ઉપર કેટલાક અલૌક્કિ ગ્રંથો છે, તેમાં કેટલાક દાર્શનિક છે, કેટલાક તાર્કિક અને કેટલાક ધાર્મિક છે. એમાં ત્રણ ગ્રંથો એવા છે કે જેમાં સમગ્ર જીવનની પૂરેપૂરી વિગતો આપી છે. એટલે કે માણસ કેવી રીતે જીવન જીવે ? અને જીવન જીવવા માટે તેની પાસે કઇ અને કેવી સામગ્રી હોવી જોઇએ ? જીવન એટલે માત્ર ‘ખાના, પીના, રોના, ધોના, કચ્ચા-બચ્ચા પૈદા કરના ઔર ફીર મર જાના’ એવું નહિ, પણ વિચારાત્મક, ભાવનાત્મક, ક્રિયાત્મક અને કર્માત્મક જીવન જીવવું એને ચીલા ચાલુ નહિ જીવવું. આ ત્રણ ગ્રંથો છે, રામાયણ, મહાભારત અને ભાગવત. આ જગતમાં માણસ પોતાની શક્તિનો ઉપયોગ ‘કામ’ માટે કરે છે. કામ એટલે માત્ર કામવાસના-સેક્સ-નહિ, પણ ‘કામના’ એટલે કે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ માટેની મથામણ. એ વિષયોમાં જ સુખ છે એવી ભ્રાંતિ માણસને દઢ થઇ છે. તકલીફ એ છે કે એ ભ્રાંતિ, એ ભ્રમણાને માણસ જાણતો નથી એટલે એને સત્ય માને છે અને ભ્રમણા તરીકે તેને સ્વીકારતો નથી. એ સુખ છે રણમાં દેખાતા ઝાંઝવાના જળ જેવું. રણમાં દૂર-દૂર મોટી નદી વહેતી દેખાય, ધસમસતું પાણી વહી જતું દેખાય ખરું. પણ તરસ્યો માણસ એ પાણી પીવા આગળ ડગલા માંડતો જાય તેમ તેમ એ નદી, એ પાણી આગળ જતાં જાય. કારણ ત્યાં પાણી જ નથી. છે માત્ર આભાસ, માટે જ તેને ઝાંઝવા-મૃગજળ-ભ્રમણા કહેવાય છે. એવી જ રીતે સંસારમાં સુખ દેખાય છે અને માણસ એને ભરોસે બેઠો છે છતાં એ સુખ નથી પણ ભ્રાંતિ છે. ભ્રાંતિ થવાનું મૂળ કારણ છે અસ્તિત્વ (આત્મા) વિષેની અજ્ઞાનતા ખરેખરતો સુખનું મૂળ કેન્દ્ર છે આત્મા, જે અંદર છે. છતાં માણસ બહાર વસ્તુમાં, વ્યક્તિમાં સુખ શોધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy