SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) ભાગવતનો સંદેશ ભક્તિ અહંકાર અને ભયને નષ્ટ કરે છે સંપૂર્ણપણે અહંકાર અને ભયરહિત થયા પછી જ જ્ઞાન પ્રગટે છે. ભક્તિ અહંકાર અને ભયનો નારા કરે છે. અહંકાર પરમાત્માની માફક સર્વવ્યાપક છે. મંદિરમાં પરમાત્માની પૂજા કરનારો, આરતી ઉતારનારો પણ અહંકાર-યુક્ત હોય છે. તે એવું માનતો હોય છે કે તેના જેવી પૂજા-આરતી કોઇ કરી શકે નહિ. એજ રીતે ધન, રૂપ, બળ અને તપનો પણ અહંકાર થાય છે. અજ્ઞાન વધે તેમ ભય-અહંકાર વધે છે આવું જ ભયનું છે. માણસ પદાર્થ અને વ્યક્તિમાં સુખ જુએ છે. તેથી એ જાય તેનો ભય માણસને સતાવે છે. શરીરથી જ સુખ ભોગવાય તેથી મૃત્યુનો પણ ભય તેને હોય છે. આવી સમજવાળા માણસો પરમાત્મશરણ લઇ શક્તા નથી. પરિણામે તેમનામાં અજ્ઞાન દઢ થતું જાય છે. વળી આવું કરવાથી પણ તેને સુખ તો મળતું જ નથી. અને તેની પાસે જે સુખ છે તે પણ કલ્પનાનું જ છે વાસ્તવિક તો નથી જ. પણ તે સમજ તેનામાં નથી. તેથી જેમ જેમ અજ્ઞાન વધતું જાય છે તેમ તેમ તેનામાં ભય વધતો જાય છે. આમાંથી એવો જ માણસ છૂટી શકે છે જે પદાર્થ અને શરીરની નશ્વરતાને ઓળખી શાશ્વત સુખની શોધ માટે સત્પુરુષને ઝંખતો હોય. સંતો પાસે તત્ત્વની વાતો હોય સંસારીના મેળામાં ધન અને રૂપની વાતો હોય. સંતોના મેળામાં તત્ત્વની વાતો હોય. શુદેવજી સંત હતા, આત્મજ્ઞાની હતા. તદ્દન નગ્ન રહેતા હતા. તેઓ જડને પણ ચેતન સ્વરૂપ નહિ પણ ભગવદ્ સ્વરૂપ જોતા હતા. અને પોતાને તેમનાથી અલગ જોતા હતા. ગીતામાં જેને ભગવદ્ ભાવ રહ્યો છે તે ભાવ-યુક્ત શુકદેવજી હતા. પરમાત્મા સર્વત્ર છવાયેલા તેમને દેખાતા હતા. તેમને સતત આત્મભાવ રહેતો હતો. એમણે રાજા પરીક્ષિતના યજ્ઞમંડપમાં પ્રવેશ કર્યો. રાજા સ્થાનેથી ઊઠી આગળ આવ્યા અને પરમ નમ્ર ભાવે નમીને સંતનો સત્કાર કર્યો. જ્ઞાન પામવા સંત પાસે જાવ ભગવદગીતામાં કહ્યા પ્રમાણે રાજાએ ‘તદ્દવિષ્ઠિ પ્રણિપાતેન, પરિ પ્રશ્નેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy