SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) ( મુકે તે જ્ઞાન પામે ) અહંકાર સાધુને પણ પડ છે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કરવું છે તેને અહંકાર ઉપર જીત મેળવવી પડે. અહંકાર તેમાં બાધક છે. ઋષભદેવજીના અઠ્ઠાણુ પુત્રોએ દીક્ષા લીધી હતી. તેમના એક પુત્ર બાહુબલીએ યુદ્ધમાં ભાઇ ભરત ઉપર મુઠ્ઠી ઉગામી. ચાર ચાર યુદ્ધ જીતીને તે આવ્યા હતા. અચાનક તેમના અંતરમાં અવાજ ઊઠ્યો “અરે કોના ઉપર આ મુઠી ઉગામું છું? જો મુઠ્ઠી મારીશ તો ભરત આખો ને આખો જમીનમાં દટાઈ જશે. મારે એવી હિંસા તો રાજ્ય માટે જ કરવાની ને ? પણ છેવટે તો રાજ્ય જશે, હું જઈશ પછી શું થશે? હું ક્ષત્રિય છું. મુઠ્ઠી ઉગામી છે તેનો ઉપયોગ કરવો જ પડે. તો કોના ઉપર કરવો? પોતાની જાત ઉપર જ કરવાનું નક્કી કર્યું. પરિણામે તેમણે ઉગામેલી મુઠ્ઠીથી પોતાના મસ્તકના વાળનો લોચ કરી સાધુ બન્યા પછી મનમાં વિચાર આવ્યો કે મારા નાના ૯૮ ભાઇઓ મારી પહેલાં સાધુ બન્યા છે ને સર્વજ્ઞ બન્યા છે. હું પ્રભુ પાસે જઉં તો મારે તેમને વંદન કરવા પડે માટે હું તપ કરી, ધ્યાન કરી સર્વશ બનીને પછી જ પ્રભુ પાસે જઉં તો મારે તેમને વંદન ન કરવા પડે. આવું વિચારી તેઓએ જંગલમાં એક વર્ષ સુધી ધોર તપ કર્યું. આમ અહંકાર સાધુને પણ પીડે છે. ભક્તિમાંથી જ્ઞાન પ્રગટે છે જીવન ક્ષણ ભંગુર હોવા છતાં માનવ જીવનમાં જ પર બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ જીવન મેળવવું દુર્લભ છે. અડધી ક્ષણનો સત્સંગ પણ સંસાર તરવા સક્ષમ છે. જે માનવ જીવનમાં જ શક્ય છે. પરમાર્થના, ભાગવતના રહસ્યો, પરમ કલ્યાણની પ્રાપ્તિ કેવળ પરમાત્માની અનન્ય શરણા ગતિ સિવાય નથી થતી. આ શરણા ગતિ એટલે જ ભક્તિ છે. એવી ભક્તિમાંથી જ જ્ઞાન પ્રગટે છે. ભક્તિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. એ નિર્મળ થાય છે. તેથી અંદરથી જ જ્ઞાનનો સ્ત્રોત ખુલ્લો થાય છે. જ્ઞાન જયોતિ પ્રગટીને બહાર આવે છે. આમાં પુસ્તકનું જ્ઞાન કામમાં નથી આવતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy