SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) ભાગવતો સંદેશ તેમ તમે પણ કાળ આવશે ત્યારે તમારું શરીર છોડીને શાંત ભાવે જશો. આ સ્થિતિએ જવા તમે મરતાં પહેલાં મરો. જેમ ટ્રેઇન આવે તે પહેલાં ડબ્બામાં ચડવા તમે તૈયાર રહો છો એમ જ શરીર છોડવા તૈયાર રહો. વૃત્તિને પરમાત્મા તરફ વાળો શીરાનો કોળીયો ખાઇને ન મરો પણ ઇશ્વર સ્મરણ કરતાં મરો. કેવળ ભગવાનનું નામ જ તમારા હૈયામાં હોય. વૃત્તિઓ અને તેના વિષયો તરફ લઈ જનારા પરિબળો જગતમાં ઘણાં છે. વિષયો દ્વારા વૃત્તિ પ્રવૃત્તિ તરફ જાય છે. માટે વિષયોમાંથી નિવૃત્ત કરીને વૃત્તિને પરમાત્મા તરફ વાળો. વૃત્તિને વિષયો તરફથી વાળીને પરમાત્મા તરફ જાવ તો ‘ભક્તિ મળે છે. બ્રહ્મ (તત્ત્વ) તરફ વાળો તો જ્ઞાન મળે છે. આ ભૂલ સુધારો પરમ ચૈતન્યના ઉત્થાનથી વાત વારંવાર કહેવાય છે. એ ચૈતન્ય એટલે આત્મા જે તમે છો. છતાં તમે તેને ભૂલ્યા હો તેવું થયું છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ એક જ ભૂલ છે તેવું લાગે છે. આ પાયાની ભૂલને સુધારવી પડશે. જો એક જ જન્મમાં તમે મોક્ષમાં જાવ તો તમારું કામ પૂરું થયું ગણાય. પણ આત્મ સાધનાના પંથે ન ગયા તો કામ ન થાય. અનેક જન્મોથી તમે આત્માને ભૂલ્યા છો તેથી તમે મોક્ષ મેંળવી શક્યા નથી. A r • સામેની વ્યક્તિની પ્રકૃતિનો સ્વીકાર _કરો. અંદર સમતા રાખો. બહાર જરા પણ ઉત્તેજિત ન થાવ. • નકારાત્મક વલણ કરાખવાવાળી વ્યક્તિ સાથે તમે હકારાત્મક વલણ -રાખી આગળ વધવાની કેડી કંડારો. હવે પ્રેમ, સ્નેહ, મૈત્રી, ક્ષમતા, નમ્રતાની જ ધારામાં જીવવું છે એવો નિર્ણય કરી એવી જીવનની શૈલી નક્કી કરીને જીવો. - ઋણાનું બંધ એવા” માટે આમ બન્યું, એવું ન વિચારો. માત્ર આનંદથી જ જીવો. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy