SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૭૯) સેવાય પ્રમાણે. સંતને પ્રણિપાત કરી સત્કાર કરી, આસન અપનિ આત્મ જ્ઞાન સંબંધમાં પ્રશ્ન ર્યો. જે વ્યક્તિએ આત્મ અનુભવ કર્યો છે તેવા જ્ઞાની પાસે અજ્ઞાનીજઇ શકે તેમ શાસ્ત્રજ્ઞાની પણ જઇ શકે. આ બંનેને આત્મજ્ઞાનીની જરૂર છે. શાસ્ત્રજ્ઞાનીને જાણકારીનો ગર્વ હોય છે. હરપળે તેને પોતાનામાં જ્ઞાન છે તે દેખાતું હોય છે. તેથી તેને તે પ્રદર્શિત કરતો હોય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરજીએ ગીતાંજલિના છ હજાર પદો લખ્યા પછી પણ કહેતા કે મારે હજુ ઘણું જાણવાનું બાકી છે. અજ્ઞાની અજ્ઞાનને કાઢવા, જ્ઞાન પામવા અનુભવી જ્ઞાની સંત પાસે જાય. મોટેભાગે આત્માનુભવી જ્ઞાની સંતો નિરક્ષર હતા. તેથી જ કોઈ કવિએ ગાયું છેઃ “અભણને વહેલા મળે ભગવાન.” ઝૂકે તે જ્ઞાન પામે પ્રણિપાત એટલે વંદન, પ્રણામ, ઝૂકી જવું, નમી જવું. આમ કરવું ભારે આકરું છે. રૂપ, સત્તા, ધન, બળ અને તપનો અહંકાર એ કરવા દેતો નથી. સામાન્ય હોદ્દો મળે તો પણ માણસનું માથું ઊંચુ થઈ જાય છે. હું પૈસાદાર, . અમલદાર, મહંત, તપસ્વી, ધ્યાની એવો અહંકાર હોય છે. એ અહંકાર વંદન કરવા નથી દેતો. ગીતાએ જે પ્રણિપાત’ શબ્દ વાપર્યો છે તે પ્રણિપાત કરવો એટલે અહમ્ રહિત થઈ પ્રણામ કરવા તે છે. એ રીતે મૂકનારને જ જ્ઞાન મળે છે. ઝૂક્યા પછી જ જે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે તે જાણવા માટે પ્રશ્ન કરવાની. અહંકાર ગયા પછી જ આ થઈ શકે છે. સર્વમક્ષણિકમ્ ‘અહમ્” સહેલાઈથી જતો નથી. તેને દૂર કરવા પ્રથમ તો “સર્વમ્ ક્ષણિકન્નો ભાવ સમજવો પડે. સવારે છોડના પાન ઉપર ઝાકળના બિંદુ મોતીની જેમ ચળતાં દેખાઈ અદશ્ય થઈ જાય છે. ઝાડ ઉપરના પાન પીળાં થઈ ખરી પડે છે, ફૂલ ખીલ્યું કે કરમાઈ જાય છે. માણસ જનમ્યો જરાક મોટો થયો, સંસાર માંડ્યો, ઘડપણ આવ્યું અને ગયો. આમ પ્રગટ થવું અને નાશ પામવું એ સતત થતી પ્રક્રિયા છે. આવી સમજ થઈ છે તેવા રાજાનમિએ નવા સંત મહાત્માઓને પ્રણામ કરીને કહ્યું: ‘ભગવદ્ જો આપ મને યોગ્ય અધિકારી માનતા હોતો કૃપા કરીને મને ભાગવત ધર્મ વિષે, તેને સિદ્ધાંતો કહો.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy