SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ - - (૧૨) ભાગવતો સદેશ ઓ ઈતિ એકાક્ષરં બ્રહ્મ મીરા, ચૈતન્ય નાચતાં અને ગાતાં ગાતાં પ્રભુમાં મગન થઈ જતાં હતાં. માણસ પરમાત્મામાં નહિ પણ વિષયોમાં ભોગોમાં મગન છે તેથી તેને પરમાત્મા મળતો નથી. સંસારના ભોગ-વિલાસમાં, રૂપિયા રળવામાં, વાનગીઓ ખાવામાં માણસ એવો તો લીન થઈ જાય છે કે એને બીજું કશું દેખાતું નથી. એટલે પરમાત્મા દેખાતો નથી. એને ભોગ સિવાય કશાનું ભાન રહેતું નથી. આમાંથી એને બહાર નીકળવાનો રસ્તોનારદજી એ બતાવે છે કે : ઓમ્કાર દ્વારા પરમાત્મામાં લીન થાવ “ઓમૂકાર” વેદો, ઉપનિષદો, આગમાં ત્રિપીટ એવાં બધાં જ શાસ્ત્રોનો સાર છે. તો ભગવદ્ગીતા કહે છે કેઃ “ઓમ્ ઇતિ એકાક્ષરં બ્રહ્મ.’ ઓસ્કારથી પરમાત્મામાં લીન થાવ ઓકાર’ વડે અંતરાત્માને પરમાત્મામાં લીન કરો. પરંતુ તેમ કરતાં પહેલાં આત્મા જે આજે વિકાર યુક્ત છે, અશુદ્ધ છે તેને શુદ્ધ કરવો પડશે. જો સોનાના દાગીનો ગટરમાં પડે તો તેને ધોવાથી શુદ્ધ થાય, કપડું મેલું હોય તેને સાબુથી શુદ્ધ કરી શકાય છે. પથ્થર ઘાટઘૂટ વગરનો ખરબચડો હોય તેને ટાંકણા, સરાણ એવાં સાધનોથી સાફ કરીને ઉજળો બનાવી ઘાટ આપી શકાય જેમાં પ્રતિબિંબ દેખાઈ શકે. એ જ રીતે પરમાત્માએ જેવી સ્વચ્છ ચાદર-શરીરઆપ્યું હતું તેવું જ સ્વચ્છ બનાવીને તેને પાછું આપવાનું. સત્કર્મો અને ધ્યાન અંતરાત્માને શુદ્ધ કરવા માટે છે. સત્કર્મ કરીને અંતરાત્મા શુદ્ધ કરવાનો છે. રાગ, દ્વેષ, મોહ, મદ, ભય, અસૂયા, માયા, તૃષ્ણા, ભોગેચ્છા, ક્રોધ, માયા એ અશુદ્ધિ છે, તેને કાઢવાની છે. આ પરિબળો જીવાત્માને અશુદ્ધ કરે છે. એ રજોગુણ અને તમોગુણ પ્રધાન છે. સત્ત્વગુણમાંથી શુભ વૃત્તિ આવે છે. એનો આધાર લઈ અશુભ વૃત્તિ કાઢવાની છે. રાગને કાઢો ‘રાગ’ એટલે વિષયો-વિકારોથી ભોગથી વિંટળાઈ વળવું તે, રાગ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy