SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ - - - (૧૦૦) ભાગવતનો સંદેશ એક બીજો ઉપાય એક બીજો ઉપાય- સ્થિર થવાનો- એ પણ છે કે તમે સંકલ્પ-વિકલ્પ અને ઓમકારના બે ભાગ પાડો અને ધીરે ધીરે તમે ઓમકારનો ભાગ વધારો અને સંકલ્પ વિકલ્પનો ભાગ ઘટાડતા જાવ. ત્યારે નાસિકાગ્રે દષ્ટિ સ્થિર કરીને તમે ઓમ્કારના જાપ ચાલુ રાખો. વૃત્તિની ઉપેક્ષા કરો. પછી પૂરક કરી (શ્વાસ ધીમે ધીમે લ્યો) પૂરેપૂરો શ્વાસ અંદર લેશો ત્યારે જેમ પાણીમાં ઘડો નાખો તે પાણીથી પૂરો ભરાય ત્યારે તેમાંથી અવાજ આવતો બંધ થાય છે. તેમ તમારા અંદરના અવાજ બંધ થશે. ત્યારે તમે કુંભક કરો (શ્વાસ અંદર રોકો) પછી ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. પરિણામે મનના સંકલ્પો- વિકલ્પો પણ તેની સાથે બહાર નીકળશે. બહુ ધીરજથી આ પ્રયોગ સતત કરો. મહિનો બે મહિના નહિ પણ સતત વરસ-બે-વરસ આ પ્રક્રિયા કરવાથી સિદ્ધિ મળશે. એ વાત ધ્યાનમાં રાખો. મનને પાછું વાળો મન સંકલ્પ-વિકલ્પ ન કરે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે. એ થવાથી પ્રાણ અને અપાનની ગતિ રોકાશે. તેનાથી અંદરથી શાંતિ પમાશે. પણ મન કામના લાલસા-ઊભી કરશે, મનને એ વશ કરીને ભટકાવે છે. પણ તમે મન જાય ત્યાં જાવ અને તેને સમજાવીને પાછું વાળી ઓમાં સ્થિર કરો. કામનાનું ઇંધણ ન નાખો તો મન શાંત જો માણસ નિરંતર આ સાધના અવિરતપણે કરશે તો જેમ લાકડાં, કોલસા વગેરે ઇંધણ ચૂલામાં નહિ નાખવાથી ચૂલાની આગ ઓલવાઈ જાય છે તેમ જ તમારા તરફથી મનમાં કામના-લાલસાનું ઇંધણ નહિ નાખવાથી ચિત્ત એની મેળે શાંત થતું જાય છે. પછી તો ધીરે ધીરે બધી જ કામનાઓ શાંત થયા પછી મન, વૃત્તિઓ, કામના, વાસના, વિકલ્પો વગરનું બનવાને કારણે બ્રહ્માનંદનો અનુભવ થાય છે. એ જ આત્મજ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન છે, પરમાત્મ જ્ઞાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy