SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ (૧૯) ધ્યાનાસન શુદ્ધ જમીન શોધી, સમતળ કરી, બેસતાં ખૂંચે નહીં એવી બનાવી તે ઉપર ઊનનું ગરમ આસન બિછાવી તેના ઉપર બેસી સ્થિર બનો. એવા સ્થિર બનો કે જેમ વાલ્મિકી ઋષિ તપ કરવા બેઠા હતા ત્યારે તેમના શરીર ઉપર માટીના ઉધઈના) રાફડા થઈ ગયા તો પણ તે હાલ્યા નહોતા. રમણ મહર્ષિએ તપ કરવા જે સ્થળ પસંદ કર્યું ત્યાં મધપૂડો હતો તેમના બેસવાથી માખીઓ ઊડીને તેમને વળગી કરડી છતાં તે તદ્દન સ્થિર રહ્યા. ત્યાં સ્થિર બેસી શાંત થઈ જવું શરીરને અંદરથી જરા પણ તંગ ન કરવું. સુખાસનમાં જ બેસો. જેથી પગમાં કળતર ન થાય. ઓમાં લીન બનો એ રીતે બેસીને અત્યંત શાંતિપૂર્વક “ઓમકારનો જપ કરો. “ઓમ્ શબ્દ સર્વ માન્ય છે. માટે જ વ્યાસજીએ ગાયત્રી કે અન્ય કોઈ બીજો મંત્ર કરવાનો ન કહ્યો પણ ચાર વેદો અને ચૌદ આગમોનો સાર ‘ઓસ્કાર” શબ્દ જે પરમાત્માને સંબોધિત કરી બોલાવવાનો, પુકારવાનો શબ્દ છે તે કહ્યો. એ ‘ઓમ્માં લીન બનો. વૃત્તિ, વિચાર, વિકલ્પની ઉપેક્ષા કરો જપ કરાશે ત્યારે પણ મનમાં વિકલ્પો તો ચાલુ જ રહેવાના અને નવા નવા ઊઠતા જ રહેવાના. એનું કારણ એ છે કે માણસે મનના કોમ્યુટરમાં આવું ઘણું જમા કર્યું છે. તે પાછું આવશે જ. પણ તેની ઉપેક્ષા કરીને ઓમકારમાં તમે લીન બનો. પણ ત્યારે તમે ભૂતકાળમાં કરેલા વિચારો સામા-આડાઆવશે. જો તેની પણ તમે ઉપેક્ષા કરશો તો ઓસ્કારમાં લીન બનીને શાંત બની શકશો. ત્યારે ઊઠતા સંકલ્પો વિકલ્પો સાથે પણ લડવાનું નથી માત્ર ઉપેક્ષા જ કરવાની છે. પરિણામે જેમ તમે કાર ચલાવતા હો તેમાંથી એક પૈડું (ટાયર) નીકળી જાય તો તમારે કાર થોભાવવી જ પડે છે. તેમ વિકલ્પોની ઉપેક્ષા કરશો તો તેની ઝડપ ઓછી થઇ જશે, તે અટકશે. પછી તમે આસનમાં સ્થિર થશો. અને જ્યાં ઓમકાર હશે ત્યાં, મનના તે વિભાગમાં સ્થિર થવાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy