SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૮) ભાગવતનો સંદેશ પાકે નહિ. એ પકાવવા તો તપેલીને અગ્નિ ઉપર મૂકીએ તો જ ખીચડી પાડે છે. પ્રકારા જોઇતો હોય તો દીવો, તેલ, વાટ તૈયાર કરીને વાટને દીવાસળીથી સળગાવવી પડે છે. એ જ રીતે વૃત્તિ વિખેરવા ક્રમબદ્ઘ ચિંતન અને ધ્યાનાભ્યાસ થવો જરૂરી છે. એ શુષ્ક કર્મકાંડ નથી. વિચાર, ચિંતનને ક્રિયાન્વિત કરવા માટે શુદ્ધાચાર જોઇએ. કેમકે વિચાર વગરનો આચાર અને આચાર વગરનો વિચાર એ બન્ને અધૂરાં છે. પણ માણસને ધર્મના નામે માત્ર કર્મકાંડ જ કરવું ગમે છે તેથી જ જ્યાં જુઓ ત્યાં આવા કર્મકાંડી માણસો ઢગલા બંધ દેખાય છે. ધ્યાન પહેલાંની તૈયારી એ શુદ્ધાચારની પ્રથમ શરત માંસાહાર અને વ્યસનો છોડવાં પડે, પ્રામાણિક બનવું પડે, ન્યાયથી જ ધન મેળવવું પડે. શરીરને સમ્યક્ જરૂરીયાત જેટલાં જ ખોરાક, કપડાં અને જીવન જરૂરી સગવડો આપવી જોઇએ. વિચાર એ ખીજ છે અને આચાર એ ખાતર, પરિશ્રમ સિંચાઇ છે. એ બધા મળે તો જ એ યોગ બની જીવન સમ્યક્ બને ને જીવનનો બાગ ખીલી ઉઠે. એવા શરીર અને મન વડે ધ્યાનાભ્યાસ થાય તો આત્મજ્ઞાન જરૂર મળે. આટલી તૈયારી કરીને ધ્યાનમાં બેસો. ધ્યાન સ્થળ જેમ સારી નિપજ લેવા માટે જમીનને સમતળ કરવી પડે છે. તેમ સારા અને શુદ્ધ આંદોલનો, પ્રાકૃતિક આંદોલનો જયાં હોય તેવી જગ્યા ધ્યાન માટે પસંદ કરો. યોગીઓ, તપસ્વીઓ, ધ્યાનીઓએ જ્યાં અભ્યાસ કર્યો હોય, ધ્યાન કર્યું હોય તેવી જગ્યા ઉત્તમ ગણાય. એ પવિત્ર જગ્યા છે તેથી જ તીર્થ સ્થળોનું મહત્ત્વ ગણાયું છે. જો કે આજે આપણે તીર્થ સ્થળો પણ પવિત્ર નથી રાખ્યાં. કેમ કે આપણે તેને મેળામાં, પિકનીક સેન્ટરોમાં ફેરવી નાખ્યાં છે. હવે ધ્યાન માટે તીર્થ સ્થળોમાં બેસાય તેવું નથી રહ્યું. ખાણી- પીણીના ધામ તેને બનાવી નાખ્યા છે. પહેલાં ગંગા, જમના, નર્મદા એ નદીઓ શુદ્ધ- પવિત્ર હતી તેનું જળ તદ્દન નિર્મળ હતું. આજે એ નદીઓનું પાણી નહાવા માટે પણ ઉપયોગનું રહ્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy