SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૬) કોણ ભગવદ્ભક્તિ કરી શકે ? માણસ દુકાને ધંધો કરે છે ત્યારે, નાટક – ફીલ્મ જોવા જાય છે ત્યારે અંદરથી તેને વિક્ષેપ નથી આવતો. પણ ભગવાનના ભજનમાં તેને વિક્ષેપ આવે છે. તે ધ્યાનમાં જઇ શક્તો નથી. સાધનાનું ફળ છે ભગવદ્ પ્રાપ્તિ. પણ વિકારોનો ક્ષય થાય તો જ એ પ્રાપ્તિ થાય. વિકારોને જીતવાની પ્રક્રિયા છે. પદાર્થ અને વ્યક્તિ તરફની આસક્તિ તથા સંગ્રહ વૃત્તિ છોડવાની. એ કાઢીને, ન્યાયપૂર્વક, પ્રામાણિક્તાથી અર્થોપાર્જન જે કરે છે તેવો માણસ ભગવદ્ ભક્તિમાં સફળ થશે. ધ્યાનના ઊંડાણમાં જઇ સમાધિ પ્રાપ્ત કરી આત્મદર્શન કરી શકશે. ભાગવતનો સંદેશ • ક્ષમાપનાનો પત્ર લખો પણ અંદર શાંતિ ન હોય, આંખમાં અમી ન હોય તો ફરીથી સંકલેશ થાય છે. • શાંતિ લાવવાની નથી. શાંત અવસ્થા છે. માણસ નિમિત્ત તરફ ભાર આપે છે, નિમિત્તને મૂલ્ય સાર આપે છે પણ ખરેખર તો મૂલ્ય તો અવસ્થાને આપવા જેવું છે. • જગતમાં નિમિત્તો રહેવાના, તમે તેનાથી દૂર રહો એટલે કે તેને તમે તમારી અંદર ન લ્યો. • નિમિત્તો અસર કરે છે ત્યારે તમે જાગૃત રહી તેમ ન થવા દો. સંસાર છોડીને જંગલમાં જનારો માણસ ચકલા-ચકલીની કામક્રીડા જોઇ વિચલિત થાય, તેનામાં વિકાર ઉત્પન્ન થાય છે માટે સર્વ પળે પોતાને જ જાગૃત રહેવુંપડે. • નિમિત્તની અસર થાય તે માણસની નબળાઇ છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો શરદી થાય, શ્વાસ ચઢે, ઉઘરસ થાય પણ જો એ શક્તિ હોય તો રોગ ન થાય. મનની નબળાઇ દૂર કરવા સતત ચિંતન, મનન, જપ, ભક્તિ અને ધ્યાન કરો. • બીજાના વિચારવાણી ને વર્તનનું ક્યારેય પૃથક્કરણ ન કરો. • બીજાની બીનજરૂરી વાત ન કરો. કદાચ કરવી જ પડે તો તેનાથી તમારી અંદરનાં ભાવો પોષાય છે તે જરૂર જુઓ. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy