SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪). ભાગવતનો સંદેશ આ પુરુષ (આત્મા) પાપ કરવા તરફ વળે છે? ‘ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : રજોગુણ નામની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધથી પ્રેરિત થઈ જીવાત્મા પાપ કરે છે.’ ગીતાએ લોભનો સમાવેશ કામમાં અને અહંકારનો સમાવેશ ક્રોધમાં કર્યો. માણસ પાપ કરે કે પુણ્ય તેમાં ભગવાન સહેજે પણ વચ્ચે નથી આવતા. જેમ ટાંકીમાંથી પાણી આવતું બંધ કરવું હોય તો ચકલી (નળ) બંધ કરવી પડે. એ જ રીતે જેનાથી મેલા બનાય છે તે પાપ કર્મ (દુષ્કર્મ)નું પ્રેરક પરિબળો કામ-ક્રોધ. એ બંધ કરશો તો દુષ્કર્મોથતા અટકશે. તેથી મેલા નહિ થવાય અને જે કર્મો અંદર પડ્યા છે તે ધીમે ધીમે ધસાતાધોવાતા જશે, સ્વચ્છ બનતા જવાશે, મેલા થતાં અટકાશે. છે શત્રુઓને જીતવાના છે જેમ ખેતરમાં ખેડૂત વાવતો નથી તો પણ નિંદામણ ઊગે છે. તેમ દુષ્કર્મો થયા કરે છે. પેલા છ શત્રુઓ (વિકારો) એ કરાવ્યા કરે છે. આ શત્રુઓને જીતવા માટે, એ ન પડે તે માટે કેટલાક આનુષંગિક નિયમો જ્ઞાનીઓએ બતાવ્યા છે. પણ માણસને કૂતરાને રોટલા નાખવા કે કબૂતરને ચણ નાખવું ગમે છે, પણ આ છ શત્રુઓને જીતવા પુરુષાર્થ કરવો ન ગમે. પાંચ ઈન્દ્રિયો અને છઠું મન જીતવા માટે હિંદુઓની એકાદશી છે અને જેનોના ઉપવાસ છે. એકાદશી અને ઉપવાસ એ તપ છે. ઉપવાસમાં અન્નનો એક કણ પણ નહિ ખાવાનો અને એકાદશીમાં તુલસીપત્ર ઉપર સમાય એટલો જ પ્રસાદ ખાવાનો પણ જો કેળના પાન ઉપર સમાય એટલું ખાઈ એકાદશી થાય તો ઇંદ્રિયો-મન કાબૂમાં ન જ આવે પણ ઉપરથી બગડે, બેકાબૂ બને. માણસ પ્રેક વગરનો છે. આંખ, કાન, નાક, સ્પર્શ અને રસના આપણા કાબૂમાં હોવાં જોઇએ. જો ખાવું નથી તો ન જ ખવાય. અને તે તપ બને. પણ જો ખવાઈ જાય એ ખાનારની ભૂલ, એ વૃત્તિને વશ થયો કહેવાય. સાયકલ ઉપર કાબૂ મેળવવા ગવર્નર અને બ્રેક બંને વાનાં છે. પણ માણસ માટે કોઈ બ્રેક નથી. એ બ્રેક વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy