SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (13) ( કોણ ભગવદ્ ભકિત કરી શકે...? ગૃહસ્થ જીવનની પરિપક્વતા ગૃહસ્થના જીવનમાં અધ્યાત્મ વણી લેવાનું છે અને સાધના દ્વારા તેની ટોચની અવસ્થા પ્રાપ્ત કરવાની છે. એ જે ગૃહસ્થ જીવનની પરિપકવતા છે, ગૃહસ્થ કેવળ સ્થૂળકર્મકાંડ જ ન કરે પણ તેથી વિશેષ સદ્ગ પ્રાપ્ત કરી તેમના માર્ગદર્શન નીચે સાધના કરીને આત્મદર્શન કરવાનું છે. જેમ કરોળિયો જાળ ગૂંથે છે પછી તેમાં જ ફસાઈને મરે છે. તેમ માણસ વિકલ્પોની જાળ ગૂંથી તેમાં જ અટવાય છે, ફસાય છે અને મરે છે. પરંતુ જે ગૃહસ્થ સજાગ છે તે સદ્ગુરુ પાસે સત્સંગ કરી, મુમુક્ષુઓનો સંગ કરીને સમ્યફ જ્ઞાન મેળવે છે પછી સાધનામાં આગળ વધતો-વધતો આત્મજ્ઞાન મેળવે છે. અજ્ઞાનને દૂર કરવાનું છે કર્મોના કારણે વારંવાર શરીરમાં આવવું પડે છે. કર્મો અજ્ઞાનને કારણે થાય છે. જેમ ભૂલથી પણ ગુનો કરનારને કોર્ટ સજા કરે છે તેમ અજ્ઞાનથી કરેલા કર્મનું પણ બંધન થાય છે અને તે ભોગવવું જ પડે છે. માટે કર્મનું મૂળ એવા અજ્ઞાનને દૂર કરવાનું છે. શાસ્ત્રોમાં કર્મ સંબંધી આદેશિત નિયમો છે. આ કરવા જેવું છે અને આ કરવા જેવું નથી તેવા વિધિ અને નિષેધ પણ સ્પષ્ટ છે. આ વાતો છે આચાર સંહિતાની, એનું તાત્પર્ય એ છે કે વિકારો ઉપર વિજય મેળવવાનો છે. માટે જ પાપ છે અકર્તવ્ય છે તે નથી કરવાનાં, શુભ કાર્યો કરવા લાયક છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર ઉપર વિજય મેળવવાનો છે. આ છ વિકારો જ ભૂલ ભરેલાં કામો કરાવે છે. રજો ગુણ પાપ કરાવે છે ભગવદ્ગીતામાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે. “કોની પ્રેરણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy