SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૮) ભાગવતતો સંદેશ ઘઉં ખેત ઉત્પન્ન ક્યતેનું લેણું આપણી પાસે છે. ગાય-ભેંસ દૂધ આપે છે. અને તેમનું પોષણ કરે છે ખેડૂત, એ ખેડૂતને આપણે મહેનતાણું આપીએ છીએ તે પૂરતું નથી. માટે તેનું પણ ત્રણ છે. એક રીતે તો આ જગતમાં આવીને આપણે સતત લીધા જ છે. હવે આપો, આપ્યા જ કરો, જે રીતે અપાય તે રીતે આપો. આમ સ્વાર્થ ત્યાગ કરીને જીવો તો, તમારા ઉપર કોઈનો બોજો નહીં રહે. સત્સંગથી આસક્તિ જાય જેમ સ્વપ્નભંગ થતા માણસને સ્વપ્ન સંબંધી વસ્તુઓમાં આસક્તિ નથી રહેતી એવી જ રીતે સાધના અને સ્વાધ્યાયથી જેમ જેમ મન શુદ્ધ થતું જાય તેમ તેમ પત્ની, પતિ, પુત્ર, પુત્રી એમ ઘરનાં બધાં સાથે, ધન સાથે સત્તા સાથે આસક્તિ છોડતા રહેવું. તમે ભૂખ્યા હતા, જરાક સૂતા આંખ મળી ગઈ, સ્વપ્ન આવ્યું. પત્નીએ તમને ગરમા ગરમ સુખડી બનાવીને ખવરાવી. પેટ ભરાઈ ગયું. પણ આંખ ઊઘડી ત્યારે તો ભૂખ એવીને એવી જ હતી. જેમ સ્વપ્નમાં મેળવેલ વસ્તુ કે ધનમાં તમે આસક્ત નથી રહેતા તેમજ તમે જીવનમાં જે જે મેળવ્યું તેમાં પણ આસક્ત ન રહો. આસક્તિ છોડવાનો સરસ ઉપાય છે ‘સત્સંગ. તે વડે બુદ્ધિ શુદ્ધ થતી જાય છે. અને આસક્તિ ઓછી થતી જાય છે. એથી જ સંત તુલસીદાસે કહ્યું છે કે : એક ઘડી, આધી ઘડી, આધી મેં પુની આધ, - તુલસી સંગત સંતકી, કટકોટી અપરાધ. સત્સંગ બુદ્ધિ શુદ્ધ કરે શરીર કરવા સાબુ જોઇએ તેમ બુદ્ધિ શુદ્ધ કરવા સત્સંગ જોઇએ. જેમ સાબુ વડે કપડું ઘો જાય તેમ તેમાંથી મેલ જતો જાય અને કપડું ઉજળું બનતું જાય છે. તેમજ સત્સંગ બુદ્ધિમાંથી મેલ- કચરો-વાસના કાઢતું જાય છે તેમ તેમ બુદ્ધિ શુદ્ધ થતી જાય છે, આસક્તિ અને બીજા વિકારો ચાલ્યા જાય છે. આ જ્ઞાનીઓનો અનુભવે છે. જે દેખાય છે તે સ્વપ્ન જેવું છે આસક્તિ ઝટ છૂટતી નથી. માટે પહેલી શરૂઆત કરો પતિ-પત્નીમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy