SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) ઘણું લીધું હવે આપો ( ). અધ્યાત્મિક જીવનની શરૂઆત કયારે કરવી? ‘અધ્યાત્મિક જીવન જીવવાની ક્યારથી, ક્યાંથી શરૂઆત કરવી તેવો પ્રશ્ન યુધિષ્ઠિર નારદજીને કરે છે. નારદજી કહે છે : માણસની કર્તવ્ય શક્તિ, પ્રકૃતિ અને અંદરનો ભાવ કેવો છે તેના ઉપર આધાર છે કે તે ક્યા રસ્તે જઈ શકે અને કેવી ગતિથી જઈ શકે. આધ્યાત્મિક જીવન જીવવાની શરૂઆત તો તત્ક્ષણ કરવી. સંન્યાસ એ વિરકત અવસ્થા છે. એ પ્રાપ્ત થાય તો આનંદ. પરંતુ સંન્યાસી આગળ વધી શકે અને ગૃહસ્થ પાછળ રહે તેવું નથી બન્યું. સંન્યાસી લઘુમતિમાં જ રહ્યા છે. એટલે ગૃહસ્થ પણ “મોક્ષ એ જ હેતુથી ગૃહસ્થ જીવન જીવવાનું છે. રાગ-દ્વેષથી મુક્તિ એટલે મોક્ષ મોક્ષ એટલે આત્માની સ્વતંત્રતા. દેહ, કર્મ અને વાસનાથી આત્મા મુક્ત બને તે છે મોક્ષ. મોક્ષ માટેની કોઈ બીજી જગ્યા કે અવસ્થા નથી. ઘણા સંપ્રદાયોએ જુદા જુદા લોક’ની વાત કરી છે. પણ ખરેખર તેવું નથી. રાગછેષથી મુક્તિ તે મોક્ષ છે. તે ધર્મથી પ્રાપ્ત કરી શકાય. ગૃહસ્થ એ સ્થિતિ ન મળે ત્યાં સુધી શરીરની વ્યાજબી જરૂરીયાત જેટલું અર્થોપાર્જન ધર્મને હરક્ત ન આવે તે રીતે કરવાનું અને એજ રીતે જીવન જીવવું જોઇએ. કામ માંસદાચારને અર્થોપાર્જનમાં નીતિ અને સંતોષ રાખવાનાં. એટલે કે ધર્મ અવિરોધી કામ અને અર્થોપાર્જન કરવા. ઘણું લીધું હવે આપ જગત પાસેથી આપણે ઘણું લીધું. આજે પણ લઈ રહ્યા છીએ. જન્મ થતાં જ જન્મ આપનારના દેવાદાર. પછી આજુ બાજુની વ્યક્તિઓએ આપણા માટે જે કાંઈ કર્યું તેમનું ઋણ. પછી કુટુંબ, સમાજ, શિક્ષક, શાળા, કોલેજ વગેરેનું ઋણ આપણી ઉપર છે. એવી જ રીતે ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, વૃક્ષ અને નદી પાસેથી આપણે ઘણું લીધું છે. રોટલી ઉપર ઘી ચોપડીને ખાઇએ છીએ તે એમને એમ નહોતું બન્યું એ જેણે બનાવ્યું તેનું ઋણ આપણા ઉપર છે. રોટલી ઘઉની બને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy