SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૬) ભાગવતતો સદેશ સંત માણસને જગાડવા જ આવ્યા છે આત્મજ્ઞાની સંત, સદ્ગુરુને શોધી તેઓ કહે તે પ્રમાણે જીવન જીવો. ભગવાન (મૂર્તિ) તમને આજ્ઞાનથી કરવાના. પણ સંતની પાસે જશો તો સત્સંગ થશે, સ્વાધ્યાય થશે. અથવા સંત મૌન રહે તો તેમના આંદોલનોનો લાભ મળશે. સંતો સતત જાગીને જીવવાનો બોધ આપે છે. એ સૌને જગાડે છે. તમારામાં જે કાંઈ દોષ એ જોશે તે કાઢવા કહેશે, કાઢવાની રીત કહેશે. એ માણસને જગાડવા જ આવ્યા છે. તેમને કશું નથી જોઈતું. માત્ર એ કહે છે: “જીવો, તમે પ્રમાદમાં ઊંધો નહીં પણ જાગો, ઊઠીને સત્કર્મ કરો. સંતો વિરકત છે તેમનામાં આસક્તિ, વાસના ઓછાં છે માટે તેમની સાથે રહેવું, બેસવું માણસ માટે લાભકારક છે. સંત ન મળે તો ભગવાનના ચરિત્રો વાંચો. ભગવાની સાત્ત્વિક લીલાને સમજો. અવતારી પુરુષોએ જે શ્રેષ્ઠતમ કામો કર્યા છે તે તેમની લીલા છે. તેનું વર્ણન ભાગવતમાં લખેલું છે. તે વાંચવું એ અમૃતપાન છે. C000 જ્ઞાની પુરુષો વિધિ-નિષેધોથી પર હોય છે પણ અમે જ્ઞાની છીએ એમ માની વિધિ નિષેધને ન સ્વીકારનાર માણસ પોતાની જાતને જ નુકશાન કરે છે. • ધર્મને ગમ્યું તે ખરું, A કુદરતને ગમ્યું તે ખરું, ભગવાનને ગમ્યું તે ખરુ તું કષાય મુક્ત, સંકલેશમુક્ત રાખી શકતો હોય તો એ વિચારસરણી તું અપનાવી લેજે.ધર્મ જો અનુકૂળ હોય તો મામૂલી પુરુષાર્થથી સફળતા મળે છે. પણ જો કર્મ પ્રતિકૂળ હોય તો જંગી પુરુષાર્થ કરવા છતાં નિષ્ફળતા મળે છે. જીવન ધર્મમય હોવા છતાં દુઃખોનું આક્રમણ થતું હોય એ બતાવે છે કે આત્માએ ક્યાંક આગળ પ્રમાદનું સેવન કર્યું જ છે. • બીન જરૂરી વિકલ્પોમાં સમય જાય તે પ્રમાદ છે. • બીજાના જીવનમાં ફેરફાર ન થાય તેની પ્રકૃતિનું પરિવર્તન ન થાય એ મોક્ષમાં ન જાય એનાથી સાધકે સંકલેશન કરવો. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy