SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧પપ) નમ્રતાથી, હૃદયના ભાવથી દાન આપો જગતમાં તમને જે નિયતકર્મ મળે તે સારું કરવું તે જ પૂજા છે, ભક્તિ છે. એ ત્યારે બને જ્યારે તમે કર્મ પરમાત્માને સમર્પિત કરીને પછી કરો છો. આમ કરવાથી તેની પાછળનો ભાવ શુભ થઈ જશે પછી તો તમે સારું કામ, સત્કર્મજ કરવાના. કોઈને પણ દાન આપો તે સત્કારથી, હૃદયના ભાવથી આપો. જેમકે કોઈ કર્મકાંડ કરાવ્યા પછી બ્રાહ્મણને તમે કંઇક આપવા ઇચ્છો તો પહેલાં તેમનો સત્કાર કરો, પછી ભોજન પ્રેમથી આપો. છેલ્લે બે હાથ જોડીને દક્ષિણા આપી તે : “સ્વીકારવાની કૃપા કરો” તેમ કહો. તે પણ નમ્રતાથી અને તેમનો ઉપકાર માનીને આપો. એ રીતે કરાવેલું કર્મકાંડ ફળશે. પ્રાપ્ય કર્મ સત્કર્મ જ છે સંગીતકાર પ્રેમથી મધુર ગાય, મજૂર, આત્મીય ભાવથી મજૂરી કરે, એ જ પ્રમાણે સર્વ માણસો પોતપોતાનો ધંધો યોગ્ય રીતે કરે. ભોજન કરતાં પહેલાં ભગવાનને થાળ ધરાવાય. એ થાળનું ભોજન સાદું હોય કે મિષ્ટાન પણ સ્વચ્છ, પવિત્ર, સારું જ હોય. એ જ રીતે કોઈ પણ કર્મ કરવાનું હોય તે પરમાત્માને અર્પણ કરીને જ તમે કરો. રાત્રે સૂતી વખતે પરમાત્મ સ્મરણ કરીને, તેમને વંદન કરીને, પછી તેમની આજ્ઞા માગીને ઊંધો. સત્કર્મ શોધવા જવાની જરૂર જ નથી. જે કર્મ પ્રાપ્ય થયું છે તેને ઉત્તમ રીતે કરવું તે સત્કર્મ જ છે. સરસ સત્કર્મની રીત શિવાજીનો એક વફાદાર અંગરક્ષક હતો. મહેલના દ્વારે તે ચોકી કરતો. શિવાજી બહારથી વેશ બદલીને આવ્યા અને અવાજ બદલીને કહ્યું: ‘હું શિવાજી છું મને મહેલમાં જવાદે. પેલો કહે : હું તમને ઓળખતા નથી. મહેલમાં તમને નહિ જવા દઉં.’ ઘણી રકઝક થઈ પણ પેલો મક્કમ રહ્યો. છેવટે શિવાજીએ વેશ ઉતારી પોતાની ઓળખ આપી અને તેની પીઠ થાબડી શાબાશી આપી. આમ કર્તવ્ય સરસ કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy