SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ (૧૩) વર્તજો.’ તમારામાં મમત્વકે મારા પણાનો ભાવ હશે તો બીજા સાથેના પ્રેમમાં અવરોધ આવશે. આ ભાવ સામાન્ય વ્યવહારમાં જેટલો નડે છે એના કરતાં સાધના કરવામાં વિશેષ નડે છે.” પૃથ્વી પર તમને જે કંઈ મળે છે તે તમારી આવડતથી નહીં, પણ ભગવત કૃપાથી મળે છે તેમ માનજો. તમે જે કંઇ પ્રાપ્ત ક્યું છે તે મેળવવા માટે પરમાત્માએ તમને નિમિત્ત બનાવ્યા છે. એમ માનજો. તમારી જરૂરિયાત કરતાં વધુ રાખવું એ ચોરી છે. ઘણું વાંચીને-સાંભળીને પણ માણસમાં પરિવર્તન આવતું નથી, કારણકે વિચાર સાથે શુધ્ધાચાર, જ્ઞાન સાથે વિચાર અને તત્ત્વજ્ઞાન સાથે અધ્યાત્મ આ કમ પ્રમાણે એ ચાલતો નથી. વિચાર વગરનો આચાર અને આચાર વગરનો વિચાર-બને અધૂરાં છે. વિચાર એબીજ છે અને આચાર એ ખાતર અને પરિશ્રમ છે. શુધ્ધ જમીન શોધી, સમતળ કરી, તેના ઉપર ઊનનું આસન બિછાવી તેના પર સ્થિર બનો. એવા સ્થિર બનો કે જેવા વાલ્મિકી તપ કરવા બેઠા હતા. સ્થિર બેસી શાંત થઈ જવું. શરીરને અંદરથી જરા પણ તંગ ન કરવું. એ રીતે બેસીને શાંતિપૂર્વક ૩ કારનો જપ કરવો. ૐ કાર શબ્દ પરમાત્માને સંબોધી કરવાનો, બોલવાનો, પોકારવાનો છે. ૩૪માં લીન બનો. સાધનાની અનેક પ્રક્રિયાઓ છે. દરેકે પોતાની પ્રકૃતિ પ્રમાણે એમાંથી પસંદગી કરવાની. સાધનાની પૂર્વ શરત અહંકાર કાઢવાની છે. જગત પાસેથી ઘણું લીધું છે. જન્મથી લેતા જ આવ્યા છીએ. કુટુંબ, સમાજ, શિક્ષક, શાળા, કૉલેજ, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, નદી, સાગર, બધા પાસેથી ઘણું લીધું છે. રોટલી ઉપર ઘી ચોપડીને ખાઇએ છીએ એ ઘઉં બનાવવા ખેડૂતે તનતોડ મહેનત કરી છે. દૂધમાંથી અનેક પ્રક્યિા કર્યા પછી ધી બને છે. આ જગતમાં આવીને આપણે બસ લીધા જ કર્યું છે. હવે સમાજનું એ ઋણ ચૂક્વવા બસ આપ્યા જ કરો, જે રીતે આપી શકાય એ રીતે આપ્યા જ કરો. કનુભાઈ મૂળશંકર રાવલ ૧૯/ ૨૦, રાધાકૃષ્ણ સોસાયટી, ી.બી. હોસ્પિટલ પાસે ડીસારોડ, પાટણ (ઉ.ગુ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy