SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ આવો માણસ જ ઊંડાણથી સાધના કરી શકે છે. કરુણાને મુખ્ય સ્થાન આપો ‘સર્વત્ર સુખિનઃ સન્તુ’ એ સૂત્ર આ ‘સર્વ ભૂત હિતે રતઃ’ સૂત્રની સાથે જ છે. એવું પણ બને કે બીજાને સુખ આપવામાં આપનારનું સુખ ઓછું થાય કે તેને દુઃખ આવી પડે. ‘તેમ થાય તો પણ ભલે.’ તેવો ભાવ પણ મનમાં અગ્રસ્થાને હોવો જોઇએ. પણ મોટે ભાગે માણસમાં આ ભાવો હોતા નથી. માટે આ ભાવ મનમાં સ્થિર કરવા માટે દિલને વિશાળ બનાવવું પડે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કરુણાને હૃદયમાં મનમાં મુખ્ય સ્થાન આપવું પડે. જે માણસ આમ કરી શકે છે તે બીજા માટે પોતાનું બધું જ ન્યોચ્છાવર કરવાની તૈયારી રાખે છે. અને જરૂરે એવું કરે છે પણ ખરો. તમારા ગુણોથી, તમારા ભાવોથી તમને જ લાભ છે. બીજો તમારા તમારા પ્રત્યે શું કરે છે તે જોવા જેવું નથી. • તમે એટલા કડવા ન બનો જેથી લોક તમને ફૂંકી નાખી. તેમ એટલા મીઠા ન બનશો કે લોકો તમને ચાવી જાય.૰ પરિસ્થિતિ ભલે પ્રતિકૂળ ઊભી થાય તમે મન ઉપર ન લ્યો તો દુઃખી નહિ જ થાવ. • દુઃખ આપનારા રોજ તમારી પાસે આવે તો ભલે આવે. તમે એ સૌને હસતાં હસતાં કહી દો કે આજ સુધી અમે દુઃખોની ખરીદી ખૂબ કરી છે પણ હવેથી અમે દુઃખો ખરીદવાનું બંધ કર્યું છે. • મારી પ્રસન્નતાનું રહસ્ય એ છે કે મેં દુઃખી થવાનું બંધ કર્યું છે. • ધર્મ થતો નથી એમ ન કહો પણ ધર્મ કરવો નથી એવું કહો. કારણ બીજું કામ તો તમે કરો જ છો ને? માટે ધર્મમાં રસ નથી એમ કહો. જેમ શ્વાસ લેવો અનિવાર્ય છે તેમ ધર્મ કરવો અનિવાર્ય છે એવો નિર્ણય થાય તો ધર્મ થાય. • ધર્મના માર્ગે જતાં આવતી તકલીફોથી બચવા અધર્મનો માર્ગ સ્વીકારવો એમાં તો જનમોજનમની બરબાદી છે માટે એવી ભૂલ કરશો નહિ. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International (૧૪૯) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy