SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ -- - (૧૪૮) ભાગવતનો સંદેશ પ્રતાપને દેશ માટે ધન આપે. પણ વિવેક ન હોય તો ધન વિલાસમાં વાપરે. બદલાની અપેક્ષા વિના જે ધન, વસ્તુ, મદદ અપાય તેને પરિણામે તેને પુણ્ય મળે છે. આ વાત માણસે કયારે પણ ભૂલવા જેવી નથી. પરહિત સમ પુણ્ય નહીં ભાઈ નારદજી યુધિષ્ઠિરને કહે છે: ‘વિચાર અને ચિંતન વાતોથી જુદા છે. જે માણસની જાગૃતિના કારણે થાય છે. વિચાર આવે ત્યારે માણસમાં જો વિવેક હોય તો એકાંતમાં જઈ બ્રહ્મ વિચાર કરે. ત્યારે અધ્યાત્મથી અલગ એવા સંયોગોનો ત્યાગ કરવો, સંગ ત્યાગ કરીને હવે સર્વ પ્રાણીઓના હિતમાં જ કાર્ય કરવું છે તેવો નિર્ણય કરવો. કોઇના અહિતમાં કાર્ય કરવું નહિ, બીજાને પરેશાન કરવા નહિ. માત્ર બીજાને સુખ આપવા જ જીવવું. સંત તુલસીદાસે કહ્યું છે કે: ‘પરહિત સમ પુણ્ય નહિ ભાઈ, ‘પર દુઃખ સમ નહિ અધમાઈ.” સર્વ ભૂત હિતે રતઃ બીજાના અસ્તિત્વનો ઇન્કાર-અસ્વીકાર કરવો તે હિંસા છે થાય છે. માણસમાં બીજાનો સ્વીકાર હશે તો બીજા-કોઈપણ પ્રત્યે ધૃણા, તિરસ્કાર, અણગમો નહીં થાય. તે અવસ્થા છે અહિંસાની. સ્વીકાર છે તેવો માણસ અહિંસામય જીવશે. માટે જ સમસ્ત પ્રાણીઓના હિતમાં જ જીવવું. ભગવાન શ્રીકૃષ્ણને અર્જુનને પૂછ્યું “ભક્તનું લક્ષણ શું છે?” ભગવાને કહ્યું: ‘સર્વભૂત હિતે રત.” જે માણસ બધા જ પ્રાણીઓના હિતમાં રત છે તે મારો ભક્ત છે.” સેવા એ સૌથી મોટો યજ્ઞ એ સૂત્ર આમાંથી આવ્યું. જે માણસ સૌના હિતમાં રત રહીને જ જીવે છે તે શાંત અને જાગૃત રહીને જ જીવે તો સુખ અને દુઃખ બંનેમાંથી સમતાપૂર્વક પસાર થાય. અંતરમા હેતનો ભાવ રાખો બહારની પરિસ્થિતિ, વ્યક્તિ અને સંયોગ અનુકૂળ હોય જ તેવું નથી બનતું કોઇપણ વ્યક્તિને સતત અનુકૂળતા મળવાનો અનુભવ નથી. તેથી જાગૃત રહી સર્વ સંયોગોમાં સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર રહેવું. હિત કેટલું કરી શકાય એ વાત ગૌણ છે. પણ અંતરમાં આ હિતનો ભાવ સતત હોવો જોઇએ. - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy