SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ (૧૪૦) ભાગવત કહે છે : ‘જગતની તમામ વ્યવસ્થાનો વિવેકથી સદુપયોગ કરી શકાય તો જીવન સુંદર બને શૈશવકાળમાં જ અધ્યાત્મ પ્રાપ્ત કરો ભારતીય પરંપરાઓએ એ જોયું કે અધ્યાત્મ વડે શૈશવ, યુવાની, પ્રોઢાવસ્થા, વૃદ્ધત્વ અને મૃત્યુને ઉત્તમ કરી શકાય. અને તે માટે શૈશવકાળમાં જ અધ્યાત્મને હસ્તગત કરવું જોઇએ. યૌવનકાળમાં શક્તિ હોય છે. તેના ઉપયોગથી અધ્યાત્મ માટે પુરુષાર્થ કરી શકાય તો ભોગ વિલાસ પણ કરી શકાય. માણસ યુવાન હોય ત્યારે એવું ન વિચારે કે ઘડપણમાં અધ્યાત્મ માટે આયોજન કરીશું. કેમકે પહેલાં (યુવાનીમાં) નથી કર્યું તેથી તે વણાયું નથી, તેની ટેવ નથી પડી માટે ઘરડા અને અશક્ત શરીરથી નહિ થઈ શકે. યુવાનીમાં વણાય તો વૃદ્ધત્વમાં થઈ શકે. છેલ્લે મૃત્યુ નજીક હોય ત્યારે વિષય-વૃત્તિ બદલાવી મુનિ વૃત્તિ ધારણ કરો. અને પછી યોગ સાધના કરતાં કરતાં યોગાગ્નિમાં શરીરને ત્યજજો. અધ્યાત્મ આ શક્ય બનાવે છે. ધન આપવા સાથે વિવેક શીખવો માણસને જીવનમાં જે જે વસ્તુઓ મળે છે તેનો અધ્યાત્મલક્ષી ઉપયોગ કરી શકે છે. આંખનું મહત્ત્વ આંધળાને વધુ સમજાય છે. એક અંધને ભગવાન ઇસુએ જોયો. આંખ મળે તો આ માણસ સુખી થશે તેવા વિચારથી ઇસુએ એ અંધને આંખ આપીને કહ્યું: ‘પરમાત્મ માર્ગે જજે.’ વર્ષ પછી ઇસુ ત્યાં આવ્યા એમણે જોયું કે એક યુવતીની પાછળ પેલો આંખ આપેલો માણસ દુરાશયથી દોડતો હતો. તેમને સમજાઈ ગયું કે આ માણસને આંખની સાથે જ વિવેક આપવા જેવો હતો. વિવેકહીન માણસ વિલાસમાં ધન વાપરે માણસને વસ્તુ, ધન, અંગ-ઉપાંગ પુણ્યના કારણે મળે છે. જીવનની પ્રત્યેક અવસ્થા અને વસ્તુ પણ તેને પુણ્યના કારણે જ મળે છે. જો માણસ વસ્તુ અને અવસ્થા સાથે જ વિવેક પ્રાપ્ત કરે છે તો તેને મળતું ધન અધ્યાત્મ માર્ગે વાપરે, સમાજ સેવામાં વાપરે વિવેક હોય તો જ કોઈ ભામાશા રાણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy