SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) સર્વભૂત હિતે રત ) ted tત વસ્તુના શ્રેષ્ઠ ઉપયોગની કળા અધ્યાત્મ પાસે છે ભારતીય પ્રણાલિકા પ્રમાણેની પ્રત્યેક અવસ્થા જીવન જીવવા માટે સુંદર સાધન છે. જેને પ્રણાલિકા સંસ્કાર કહે છે. બાલ્યાવસ્થામાં સુસંસ્કાર, યુવાવસ્થામાં વિદ્યા અને ગૃહસ્થી, વાનપ્રસ્થ અવસ્થામાં યોગ. અને છેલ્લી અવસ્થામાં પરમાત્મમિલન. આ વિવિધ અવસ્થાઓ છે. માણસે વસ્તુ, સંયોગ અને પરિસ્થિતિ સર્વેનું આ અવસ્થા પ્રમાણે મૂલ્યાંકન કરવું જોઇએ. આધ્યાત્મિક રીતે આ અવસ્થાઓની ગોઠવણી થઇ છે. માણસે વિવેથી તે પ્રમાણે જીવવા જેવું છે. પરમાણુ શક્તિની શોધ થઈ તો વિવેકી પાસાંઓએ વીજળી શક્તિનું નિર્માણ કરી ભારે શક્તિ મેળવી અને અવિવેકી પાસાંઓએ ભારે સંહારનું કામ કર્યું. વિજ્ઞાન તો પૃથ્થકરણ કરે છે. તેનો સદુપયોગ અને દુરુપયોગ માણસ કરે છે. શાસ્ત્રો કહે છે કે વસ્તુનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની કળા અધ્યાત્મ પાસે છે. અધ્યાત્મ માણસ બદલવાનું કહે છે તમામ ધર્મશાસ્ત્રો આ વાત કરે છે. જો માણસ અધ્યાત્મની રીતે જીવન જીવે તો વસ્તુનો સદુપયોગ જ થાય. માણસ પદાર્થ. પરિસ્થિતિ અને સંયોગ બદલવાની વાત કરે છે. જ્યારે અધ્યાત્મ માણસને બદલવાની વાત કરે છે. કુશળ વૈદને ઝેર મળે તો તેમાંથી જીવન ઉપયોગી રસાયણ તે બનાવે છે, તો માણસ ઉત્તમ રસાયણને ઝેર બનાવે છે. જગતને કોઈ જડ કહે છે. સાંખ્યા દર્શન પ્રકૃતિ કહે છે , વેદાંત માયા કહે છે અને જૈનદર્શન પુગલ કહે છે. આ પ્રકૃતિ-પુદ્ગલ-એ આત્માના ચરણોમાં છે. એ વાત પુરુષે (આત્માએ) વિવેથી જાણવી પડશે. ખાવું (ભોજન કરવું ) તે પ્રકૃતિની માંગ છે, પણ શરીરને હાની ન થાય તે પ્રકારે ખાવું તે કામ વિવેક કરે છે. ભગવદ્ગીતા કહે છે: સાત્ત્વિક આહાર કરવો તે સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિનો આધાર છે વિવેકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy