SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) ભગવદુપરાયણ જ રહો સાધના કોણ કરી શકે? જીવવાનો ભાવ સૌ માણસોને છે. પરંતુ કેટલું જીવી શકાશે તે નક્કી નથી. કેવી રીતે જીવવું છે એ નક્કી કરી શકાય. એમસાધનામાદેવનના એકાંતમાં જવું સારું છે, પણ વનની તકલીફો જોઇ આના કરતાં શહેર-ગામ-સારું હતું ત્યાં આવી તકલીફ તો નહોતીને, એવું થાય તે બરાબર નથી. આતો સંજોગો બદલાય તો મન બદલાય એવું થયું. ખરેખરતો અનુકૂળ સ્થિતિમાં છકી ન જાય. પ્રતિકૂળ સ્થિતિમાં ડરે નહિ અને બંનેમાંથી પસાર થવાની કળા જેને આવડે તે જ સુંદર જીવન જીવી શકે, સાધના સારી રીતે કરી શકે. જીવનમાં જાત જાતના સંયોગો આવે છે જુદા જુદા સંયોગો, બનાવો તો બનતા જ રહેવાના. સ્થિતિ એક સરખી ક્યારે પણ રહેતી નથી. રાત્રે સૂતા પછી સવારે ઉઠાશે કે નહિ એ પણ નક્કી નથી. તેથી જ આપણે કહીએ છીએ કે 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. છત્ર પલંગ ઉપર સુનારા રામજીને સવારે વનવાસ આવી પડયો અને તે રાત્રે પાંદડાની પથારીમાં સૂવાનું બન્યું. આમ જાતજાતના સંયોગો જીવનમાં આવતા જ રહે છે. એમાં સમ્યગૂ રીતે રહેવું એ એક સાધના છે. એમાં વિવેક નહિ અહંકાર છે પહેરેલાં કપડાં પણ તમારાં નથી મૃત્યુ પછી તમારે એકલાએ જ આગળ જવાનું છે. ત્યાં સગાં, મિત્રો, સંતાન, પતિ કે પત્ની સાથ આપી શકતાં નથી. તીર્થયાત્રા અને વનવાસ દ્વારા જે વસ્તુ અનિત્ય છે, પારકી છે, તમારી નથી તેને થોડો સમય, થોડા દિવસ છોડતાં શીખો. કુટુંબ સહ તમારો નિર્વાહ સ્વસ્થ રીતે થાય એટલું જ કમાવાનો પ્રયાસ કરો. વધુ મેળવવા દોડધામ ન કરો. માણસ મોટે ભાગે એવું વિચારે છે કે પોતે જેમ દોડધામ કરીને જીવે છે તેમ જ જીવાય. કેમ કે મોભા પ્રમાણે જીવવા માટે અમુક ખર્ચ તો કરવો જ પડે છે. પણ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy