SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (39) યુધિષ્ઠિર નારદજીનો સંવાદ યુધિષ્ઠિરની વ્યગ્રતા જન્મથી મૃત્યુ સુધીની જીવનની ઘણી અવસ્થામાં કડવા મીઠા અનુભવો માણસને થાય છે. યુધિષ્ઠિરને પણ આવા અનુભવો થયા. માન-સન્માન ઘણા મળ્યાં, તો ઘણાં અપમાન પણ સહન કરવા પડયાં. તેમના મનમાં એ મંથન ચાલતું હતું કે શું તેમણે જીવનમાં જે કર્યું તે બધું બરાબર હતું, ઠકહતું? પોતે જુગાર રમ્યા, ભાઇઓ અને પત્નીને જુગારમાં હાર્યા તે બરાબર હતું? આવા પ્રશ્નોના કારણે અને અંદરથી તેનો સ્પષ્ટ જવાબ નહિ મળવાના કારણે તેઓ વ્યગ્ર હતા. તેથી જ્ઞાની સંતનો સમાગમ તેઓ ઇચ્છતા હતા. કેમકે સંતો જ સમસ્યાનો ઉકેલ અને સમાધાન આપીને શીતળતા, શાંતિ આપે છે. તેમના મનની આવી વિષમ સ્થિતિમાં તેમને નારદજી મળ્યા છે. યુધિષ્ઠિરનું મંથન યુધિષ્ઠિરના મનમાં મંથન ચાલતું હતું કે જે કર્મ ધર્મના નામે થતું દેખાય છે તે ધર્મ છે ખરું? પ્રકૃતિ અને સ્વભાવ એ બન્ને છે તો જુદા છતાં પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય તેમ કહેવાય છે. ખરેખર તો પ્રકૃતિ એટલે સંસ્કારો જાય તેમ કહેવાવું જોઈતું હતું. સ્વભાવ કદી જતો નથી. તેને પ્રાપ્ત કરવો ન પડે. તેમાં કશું ઉમેરી કે બાદ કરી શકાય નહિ. તેને કદી નષ્ટ કરી શકાય નહિ. કેમ કે સ્વભાવ તો ત્રિકાળ રહે છે. જેમ સાકરનો સ્વભાવ ગળપણ છે, તેથી કદી પણ ગળપણ સાકરમાંથી ન જાય. તેમાં ક્યારે પણ ગળપણ ઉમેરવું ન પડે. સાકર જેમાં ભળે તે વસ્તુ ગળી બની જાય. એ જ રીતે જેનો સ્વભાવ ગળપણ નથી તે ગળ્યું ન થઇ શકે તેમાં ગળપણ ઉમેરો તો જ તે ગળ્યું થાય. નારદજીએ તેમને આ વાત સુપેરે સમજાવી. જેટલા રાગ-દ્વેષ જાય તેટલો ધર્મ થાય વળી કહ્યું : ધર્મના મર્મને પ્રગટ કરનારા લક્ષણો હોઈ શકે છે. પણ એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy