SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતો સંદેશ (૧૪૧) સમજવા જેવું છે. સંતશ્રેષ્ઠ યુધિષ્ઠિર યુધિષ્ઠિર અને નારદજીનો સંવાદ ભાગવતના સાતમા સ્કંધમાં છે. યુધિષ્ઠિરે વિશાળ વાંચન અને શ્રવણ કરેલું છે. એમણે ઘણાં દુઃખ અને સુખ અનુભવ્યાં છે. તેમનું કર્મ ધર્મમય હતું તેથી તે ધર્મરાજ કહેવાયા. આ ધર્મરાજે અધર્મનું પહેલું કામ જુગાર રમવાનું કર્યું. તેમાંયે જયારે પત્ની દ્રૌપદીને હોડમાં મૂકી એ નિમ્ન પગલું હતું. તેમના આ પગલાંથી ચાર ભાઇઓ અને પત્ની દ્રૌપદીને ખૂબ સહન કરવું પડ્યું. પણ સાથે સાથે એમને ભગવાન શ્રીકૃષ્ણનું સાનિધ્ય પણ મળ્યું. આવા અનેક અનુભવો તેમને થયા હતા. એમને સંસાર, નીતિ, ધર્મ અને વ્યાકરણનો પણ અનુભવ હતો. આવું વિવિધતા ભરેલું જીવન હોવા છતાં તેઓ કરુણા અને દયાને પાત્ર રહ્યા. એમના જીવનમાં અગણિત દુઃખો એક સાથે આવી પડ્યા. છતાં એ ખૂબી રહી હતી કે એ દુઃખોમાં તેઓ નિરાશ થવાને બદલે વિશેષ પ્રોત્સાહિત થયા હતા. તેમાંથી સારી વાત શીખીને પોતાના જીવનમાં તેનો અમલ કર્યો. તેથી જ શુકદેવજીએ યુધિષ્ઠિરને સંત શ્રેષ્ઠ કહ્યા હતા. આવા સંત શ્રેષ્ઠ યુધિષ્ઠિર અને મુનિ નારદજીનો સંવાદ જાણીએ. ધર્મ માણસને અજવાળે છે યુધિષ્ઠિર નારદજીને પૂછે છે : “મહારાજ, હું ધર્મ વિષે આપની પાસેથી સાંભળવા ઇચ્છું . સાથે માનવનું આચરણ કેવું હોવું જોઇએ તે પણ જાણવા માગું છું.નારદજી કહે છે : “ધર્મથી માણસને સમ્યફ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મ કાંઈ કર્મકાંડ નથી. ધર્મ તો માણસને અજવાળે છે. તેનું પહેલું કામ પરમ તત્ત્વને યથાર્થપણે જાણવું તે છે. માણસની સમજ એવી છે કે સ્વર્ગ પ્રાપ્તિ સુખ મેળવી આપે છે. પણ સમ્યફ જ્ઞાન માણસને જ્ઞાન અને બોધ આપે છે, સુંદર જીવન જીવવાની સમજણ આપે છે. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના અજવાળામાં લઇ જાય છે. તમસો જયોતિર્ગમય’ અવસ્થા મળે છે. જો અંધારું હોય તો પગ નીચે શું છે તેની ખબર નથી પડતી. પ્રકાશ થાય તો જ વસ્તુ દેખાય છે. એવી જ રીતે સમ્યફ જ્ઞાન મળે તો સારું ખોટું, પાપ-પુણ્ય, માનવતા-દુષ્ટતા, સ્વર્ગ-મોક્ષ વચ્ચેના ભેદ સમજ પડે છે. વળી જ્ઞાન પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy