SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૦) ભાગવતનો સંદેશ : પૂછે કે તમે ક્યા ધર્મના છો? તો તે હિંદુ, મુસ્લિમ, જૈન, બૌઘ, ખ્રિસ્તી એવું કહે છે. પણ એ ક્યારેય એવું નથી કહેતો કે ઃ ‘માનવતા’ એ જ અમારો પ્રથમ ધર્મ છે. માણસ આ વાત નથી સમજતો તેથી તે સ્વધર્મ ભૂલે છે, માટે જ પ્રશ્નો ઊભા થાય છે. જેમ કે છોકરો પરણાવ્યો, વહુ ઘરે આવી. પણ દહેજ ઓછું લાવી તેની તકરાર ઘરનાં કરે, તેને પરિણામે ક્યારેક વહુ સળગી મરે. તો કહો આમાં ધર્મ કયાં આવ્યો ? માણસ જે કાંઇ ધર્મના નામે કરે છે તેમાં માનવ ધર્મ જ નથી, પછી મોક્ષના વાત દૂર રહી? માણસ પરમાત્મા થઇ શકે આ જ શરીરમાં ઇશ્વરની પ્રાપ્તિ-બ્રહ્મદર્શન-મોક્ષ થઇ શકે છે. પણ આ સ્થૂળ દેહમાં પ્રગટતી વૃત્તિઓને પોષવામાં જ માણસનું જીવન પૂરું થઇ જાય છે. માનવતા આચરવાની રહી જાય છે. માણસને વકીલ, ડોકટર, વ્યાપારી, નેતા, પ્રધાન બનવું છે, પણ મોક્ષ પામવો નથી. એ નથી વિચારતો કે પોતે કેટલી મોટી હેસિયત લઇને જ જન્મ્યો છે. તે પરમાત્મા થવાની ક્ષમતા ધરાવે છે. હવે કહો આની આગળ જગતનું કોઇ પણ પદ બરાબરી કરી શકે ખરું? ધર્મનું કોઇ પ્રતીક નથી જગતમાં જે કાંઇ મળે છે તે અનિત્ય જ છે. વળી એ તમામ અહીં મૂકીને માણસે જવાનું છે. અઢળક મિલક્ત ભેગી કરનારે પોતાને એ પૂછવા જેવું છે કેઃ ‘શું તેણે સદ્ગુણો મેળવ્યા છે ખરા ? અધ્યાત્મમાં તે આગળ વધ્યો છે ખરો ? એણે ભક્તિ કરી છે ખરી ?’ જો આ કર્યું હશે તો તેને એ સાથે લઇ જઇ શકશે. આ ધર્મનું બીજ છે. પછી તેને જે માનવ શરીર મળશે, તેમાં આ બીજ વડે પોતાની સાધના આગળ વધારી શકશે. જેમ ખેડૂત બીજ ખરીદીને ઘરમાં જ રહેવા દે તો એ બીજ સડી જાય. એ શા કામમાં આવે નહિ. અથવા ખેડૂત બીજને ખાઇ જાય તો તેની ક્ષુધા ટળે. તેથી વધુ તેને મળે નહિ. પરંતુ ખેડ, ખાતર, પાણી અને ખેડૂતની મહેનત સાથે મળે તો એ બીજમાંથી અનેકગણું ઉત્પન્ન તે કરી શકે. પણ તે માટે મહેનત કરવી પડે. આ સમજણ કેળવવા ઉપયોગી એવા ધર્મના ૩૦ લક્ષણોનું વર્ણન શુકદેવજી રાજા પરીક્ષિતને કરે છે. આ વર્ણનમાં તેઓ કોઇ ચિહ્ન કે પ્રતીકની વાત ધર્મ માટે નથી કરતા એ ખૂબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy